શપથ ગ્રહણ સમારોહ: કર્ણાટક કેબિનેટમાં મંત્રીઓની મંજૂર સંખ્યા 34 છે. કેબિનેટમાં તમામ ક્ષેત્રો અને વર્ગોનું ધ્યાન રાખવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ ટોચના નેતાઓ સાથે આ અંગે વ્યાપક ચર્ચા થઈ છે.
સિદ્ધારમૈયા આજે બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. જ્યારે ડી.કે. શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બનશે. આ સાથે અન્ય આઠ ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. બેંગલુરુમાં યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના તમામ મોટા નેતાઓની સાથે વિપક્ષની પ્રાદેશિક પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પણ ભાગ લેશે. આ પ્રસંગને 2024ની લોકસભા ચૂંટણી પહેલા બિન-ભાજપ કેમ્પ માટે એકતાના પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.