ઈ-વૉલેટ એપ Paytm વાપરવા માટે સ્માર્ટફોન અથવા ઈન્ટરનેટની જરૂર નહીં પડે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે, નોન-ઈન્ટરનેટ યુઝર્સ જે ફીચર ફોન્સ વાપરે છે તેમના માટે કંપનીએ ટૉલ ફ્રી નંબર 1800-1800-1234 લૉન્ચ કર્યો છે. ઈન્ટરનેટ કનેક્શન વિના જ આ નંબરથી પૈસાની લેવડ-દેવડ થઈ શકેશે, ઉપરાંત મોબાઈલ ફોન રિચાર્જ પણ થઈ શકશે.
આ સર્વિસનો ઉપયોગ કરવા માટે, ગ્રાહકોએ પોતાનો નંબર રજિસ્ટર કરવાનો રહેશે અને 4 ડીજીટની Paytm પીન સેટ કરવાની રહેશે. ત્યારપછી સામે વાળી વ્યક્તિનો મોબાઈલ નંબર, અમાઉન્ટ અને પેટીએમ પીન નંબર એન્ટર કરીને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે પેટીએમ અકાઉન્ટ બનાવવા માટે પણ સ્માર્ટફોનની જરૂર તો પડશે. તમે Paytm એપમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર કરશો તે જ નંબર પરથી ટોલ ફ્રી કૉલ કરીને ટ્રાન્ઝેક્શન કરી શકાશે.
આ સિવાય પેટીએમ વૉલેટમાં પૈસા ઉમેરવા માટે પણ વેબસાઈટ અથવા એપની જરૂર તો રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારના નોટબંધીના નિર્ણયને કારણે પેટીએમને ઘણો ફાયદો થયો છે.