ઉત્તરાખંડ ખાતે જગવિખ્યાત અમરનાથ યાત્રાને એક મહિનાથી પણ વધુ સમય વીતી ચુક્યો છે આ યાત્રામાં મોટી સંખ્યામાં જુદા-જુદા રાજ્યમાંથી શ્રદ્રાળુઓ ભાગ લેતા હોય છે અને આ યાત્રામાં ચોામાસા શ્રતુમાં નીકળતી હોવાથી ખૂબ જ અડચણજનક સાબિત થતી હોય છે . 48 કિમીની સમ્રગ યાત્રામાં વરસાદનો વિધ્નના પગલે કેટલી હોનારત સર્જાતી હોય છે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અનેક જગ્યાએ પડેલા વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા બે દિવસમાં વરસાદ બાદ આવેલા કાટમાળના કારણે કુલ 138 રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. જેમાંથી 92 રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. રાજ્યભરમાં 46 રસ્તાઓ હજુ પણ બંધ છે. તે જ સમયે, બદ્રીનાથ અને ગૌરીકુંડ હાઇવે પણ ગુરુવારે સવારે બંધ કરવામાં આવ્યા હતા.
સિરોહબાગડ ખાતે ભૂસ્ખલનને કારણે ઋષિકેશ બદ્રીનાથ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે દેજીમાંડા છટીખાલ માર્ગ પરથી વાહનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ રુદ્રપ્રયાગ ગૌરીકુંડ હાઈવે પર સોનપ્રયાગમાં પહાડી પરથી પડેલા પથ્થરની અડફેટે એક યાત્રીનો મોત થયું છે. જ્યારે ત્રણ યાત્રિકો ઘાયલ થયા હતા. ખરાબ હવામાનને જોતા કેદારનાથને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યા સુધી માત્ર 990 મુસાફરો ધામ જવા રવાના થયા હતા.
ગુરુવારે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે સિરોહબાગડ અને ગૌરીકુંડ હાઈવે નૌલા પાણીમાં બંધ થઈ ગયા હતા. ચમોલી જિલ્લામાં પણ મોડી રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે કાટમાળ જમા થવાથી જિલ્લાના 12 ગ્રામ્ય સંપર્ક માર્ગો બંધ છે. નંદનગર, પોખરી, દેવલ, થરાલી ડેવલપમેન્ટ બ્લોકના ઘણા રસ્તાઓ કાટમાળના કારણે બંધ છે.