ભારતમાં ઘણા પ્રાચીન સ્થાપત્ય છે જે ઇતિહાસ સાથે જોડાયેલ છે. આમાંથી ઘણા બધા મહેલો આવેલા છે જે 100 વર્ષોથી પણ વધુ જૂના છે. અાજે અાપણે અેવા જ પ્રાચીન સ્થાપત્ય ધરાવતા ગ્વાલિયરમાં અાવેલ માધવરાવ સિંધિયાએ બનાવેલ ‘જયવીલાસ’ મહેલની. આ મહેલમાં 1874માં 1 કરોડ રૂપિયાની કિમતમાં બનાવાયો હતો.
તેની સુંદરતા જોવા માટે આજે પણ વિશ્વભરમાંથી વિદેશી પ્રવાસીઓ આવે છે દરેક ઐતિહાસ્ક ધરોહરની જેમ અા મહેલનું બાંધકામ પણ ઘણું-વિશેષ ગુણો ધરાવે છે, જેના કારણે તે ખૂબ ખાસ છે.
શ્રીમંત માધવરાવ સિંધિયાએ આ મહેલનું નિર્માણ 1240771 સ્ક્વેર ફિટમાં ફેલાયેલું છે.1874માં 1 કરોડની કિંમતથી બનેલા અા મહેલની કિંમત આજે અરબોમાં છે. માધવરાવ સિંધિયાએ ઇંગ્લેન્ડના શાસક એડવર્ડ- VII ના સ્વાગત માટે તેની રચના કરી હતી.
આ મહેલને વિદેશી કારીગરોની મદદથી બનાવવામાં આવ્યો હતો અને ફ્રેન્ચ આર્કિટેક્ટ મિશેલ ફિલાસે તેની ડિઝાઇન તૈયાર કરી હતી.મહેલની ખાસ બાબત એ છે કે 3500 કિલો વજનના ઝુમ્મર લાગેલા છે, તે છત પર મૂકવા માટે 10 હાથીની 7 દિવસ સુધી મદદ લેવામાં અાવી હતી. મહેલની છત પર 10 હાથીને 7 દિવસ સુધી રાખવામાં આવ્યા હતા જેથી છતની મજબુતાઈ જોયા બાદ તે પછી આ ઝુમ્મર લગાવવામાં અાવ્યા હતા.તેની છતની કારીગરીમાં સોના, ચાંદી અને રત્નોથી સજાવાઈ છે.
મહેલના ડાઈનિંગ હોલમાં ડાઈનિંગ-ટેબલ પર ચાંદીની ટ્રેનથી મહેમાનોને ભોજન પીરસવામાં અાવે છે. આ ભવ્ય મહેલમાં 400 રૂમ છે, જેમાંથી 40 રૂમ મ્યુઝિયમ તરીકે રાખવામાં આવ્યા છે.મ્યુઝિયમમાં ઔરંગજેબ અને શાહજહાંની તલવાર પણ જોવા મળે છે. ઇટાલી અને ફ્રાન્સની કલાકૃત્તિઓ અને જહાજો પણ અહીં રાખ્યા છે. આ મહેલના ટ્રસ્ટી જયોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શની રાજે સિંધિયા છે.