કાશ્મીર: શ્રીનગરના એચએમટી વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને એક ઘાયલ થયો છે. હુમલાખોરો મારુતિ કારમાં આવ્યા હતા અને એચએમટી વિસ્તારમાં સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ આતંકવાદીઓ ત્યાંથી ભાગ્યા હતા, જોકે સુરક્ષા કર્મીઓએ તેમની કારનો પીછો કર્યો હતો.
આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલે વધુ માહિતી સાંજ સુધીમાં મળી જશે.
શ્રીનગરના સંરક્ષણ પીઆરઓએ માહિતી આપી છે કે આતંકીઓ દ્વારા હુમલો કર્યા બાદ ઘાયલ સુરક્ષા કર્મીઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે સૈનિકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આતંકવાદી હુમલા પછી કાશ્મીરના આઈજીએ કહ્યું, “ત્રણ આતંકીઓએ આપણી સેનાના જવાનો પર ગોળીબાર કર્યો. બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા અને બાદમાં શહીદ થયા. જૈશ અહીં એકદમ સક્રિય છે. સાંજ સુધીમાં આપણે સંગઠન શોધી કાઢ્યું. “સશસ્ત્ર આતંકવાદીઓ કારમાંથી ફરાર થઇ ગયા હતા. તેમાંથી બે સંભવત પાકિસ્તાની અને એક સ્થાનિક છે.”