નવી દિલ્હી : કોરોના વાયરસએ ભારતીય એરલાઇન્સ એર ઈન્ડિયામાં પણ દસ્તક દીધી છે. એર ઇન્ડિયાના પાંચ પાઇલટ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ પાંચેય પાઇલટ ડ્યુટીના 72 કલાક પહેલા લેવામાં આવેલા ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. બધા મુંબઈના છે. આમાંથી કોઈમાં કોરોનાના લક્ષણો નહોતા. પાંચેય વિમાનચાલકોને કવોરેન્ટીન કરવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે ભારત અને ચીન અને યુએસ વચ્ચે કાર્ગો ફ્લાઇટ્સ ચલાવી હતી.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3277 નવા કેસ નોંધાયા છે અને કોવિડને કારણે 127 લોકોનાં મોત નીપજ્યાં છે. રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના વાયરસના કેસો લગભગ વધ્યા છે અને અત્યાર સુધીમાં 2109 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ મોત 779 થયા છે. અહીં હવે આ રોગચાળાના ભોગ બનેલા લોકોની સંખ્યા વધીને 20228 થઈ ગઈ છે.