રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસ દિવસને દિવસે છાપરે ચડી પોકારી રહ્યો છે. રાજ્યસરકાર દ્ઘાવારા વિધાનસભા બજેટ સત્ર દરમિયાન બહુમતીથી પસાર કરવામાં આવેલા ઢોર નિયંત્રણ વિધેયકને બીજા દિવસે સમ્રગ રાજ્યમાં માલાધારી સમાજ દ્ઘરા સરકાર સામે દેખાવ કરવામાં આવ્યુ હતુ જુદા-જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ જેના પગલે રાજ્યમાં આાગામી વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી અને વોટબેન્ક સચાવવા રાજ્યસરકારે માલધારી સમાજનો રોષ થોળે પાડવા ઢોર નિયંત્રણ કાયદાો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જેને લઇ ફરી એકવાર શહેરમાં રખડતા ઢોરના ત્રાસ સામે આવ્યો છે.
રખડતો ઢોરો શહેરના રસ્તાઓ પર યમરાજ સમાન બન્યા છે રસ્તાઓ અધવચ્ચે અડિંગો જમાવી તો કયારેય શહેરીજનો શીંગડે ચઢાવી આતંકી મચાવી રહ્યા છે હોવા છતા મનપા દ્ધારા કોઇ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી પશુપાલકો પણ બેદરકાર બની ઢોરોને ખુલ્લેઆમ શહેરના રસ્તાઓ પર છોડી દે છે. જેને કારણે આવર-નવાર ઢોરના અડફેટે અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. મનપા અધિકારીઓની ઇચછા શક્રિતને અને ઉદાસનીતાના કારણે લોકોને ઢોરના હુમલાનો શિકાર બનવો પડી રહ્યો છે, તાજેતરમાં જ આણંદ જિલ્લામાં રખડતા ઢોરે મહિલા હુમલા કરી ઇજા પહોંચાડી હતી તો બીજી તરફ વડોદરા શહેરમાં રસ્તા પરથી પસાર થતા યુવકને ઢોરે હુમલો કરતા આંખ ફૂટી હતી તો વધુ એક કિસ્સો વડોદરાના કોયલી ગામમાંથી સામે આવ્યુ છે. કોયલી ગામમાં રખડતા ઢોરે માસૂમ દીકરી પર હુમલો કરતા આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઇ દીકીરને સાત ટાંકા લેવાયા હતા રખડતા ઢોરના આતંક આ ત્રીજો કિસ્સોમાં સામે આવ્યો છે. જેને લઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કયારે સુધી જનતા તંત્રના પાપે રખડતા ઢોરની શિકાર બનતી રહેશે રખડતા ઢોરોના ત્રાસને લઇ શહેરનીજનો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.