ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે.તેને લઇ રાજ્કીય પંડિતોના મત અનુસાર આ વર્ષને ચૂંટણીના વર્ષ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ બાદ AAP પણ ત્રીજા વિકલ્પ તરીકે લોકો સમક્ષ આવી રહી છે. અને ગુજરાતમાં પોતાની જમીન શોધી રહી છે.આગામી દિવસોમાં ચૂંટણીને જોતા આમ આદમી પાર્ટી દ્ગારા નવી-નવી રણનિતી બનાવી ભાજપને મોઘાવારી બેરોજગારી અને શિક્ષણ મુદ્દે સતત ઘેરવામાં આવી રહ્યો છે.અને આજે સરકારી વીજ કંપની દ્ઘારા વીજ યુનિટ દીઠ 2 રૂપિયાનો વધારો કરાતા AAP પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. એટલો જ નહી વીજળી પર કરેલા ભાવ વધારો પરત ખેંચવા નહી આવે તો આગામી દિવસો રોડ-પર ઉતરી આંદોલનની ચિમકી આપે ઉચ્ચારી છે
આ અંગે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ સંબોધી આપ પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી વીજળીના વધેલા ભાવને લઇ સરકારને આડેહાથ લીધા હતા તેમણે જણાવ્યુ હતુ કે ભાજપે તમામ વસ્તુઓમાં ભાવ વધારો કરવા કોઇ કસર બાકી રાખી નથી મોઘવારીના મુદ્દે ભારત પણ વિશ્વમાં રેકોર્ડ બનાવવા જઇ રહ્યો છે.ભાજપે સરકારે વધુ એક વાર વીજળીના ભાવ વધારી સામાન્ય જનતાને તમાચો માર્યો છે જો સરકાર દ્ઘારા કરવામા આવેલા ભાવ વધારો પરત ખેંચવામાં નહી આવે તો આગામી દિવસોમાં AAP પાર્ટી રોડ ઉતરી વિરોધ કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે. હાલ પેટ્રોલ. ડિઝલ. સી એન જી ગેસ. ખાદ્યતેલ શાકભાજીમાં સહિતની ચીજવસ્તુઓંમાં મોઘવારીએ માઝાં મૂકી છે.જેને લઇ સામાન્ય જનતા માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.