નવી દિલ્હી: સરકારી વાહક એઆઇએ કાર્યક્ષમતા, આરોગ્ય અને જરૂરિયાતના આધારે કર્મચારીઓને ઓળખવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેમને પાંચ વર્ષ સુધી પગાર વિના ફરજિયાત રજા પર મોકલવામાં આવશે.
કંપનીના આદેશ મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટરે રાજીવ બંસલને એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરને યોગ્યતા, કાર્યક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીનું સ્વાસ્થ્ય, અગાઉ ફરજ પર અપૂરતી હાજરી વગેરેના આધારે છ મહિના કે બે વર્ષના સમય માટે પગાર વિના ફરજિયાત રજા પર મોકલવા માટે અધિકૃત કર્યા છે. હુકમ મુજબ આ સમયગાળો પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.
એર ઇન્ડિયા દ્વારા 14 જુલાઈએ જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, વિભાગના વડાઓ તેમ જ મુખ્યાલયમાં પ્રાદેશિક કચેરીઓના ડિરેક્ટર દરેક કર્મચારીનું ઉપરોક્ત માપદંડના આધારે મૂલ્યાંકન કરશે અને ફરજિયાત રજા વિકલ્પના કેસોની ઓળખ કરશે.
આદેશમાં જણાવાયું છે કે, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની જરૂરી મંજૂરી માટે આવા કર્મચારીઓનાં નામ મુખ્ય મથકના જનરલ મેનેજર (કર્મચારી) ને મોકલવા જોઈએ. આ સંદર્ભમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે આ મામલે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.