ગયા વર્ષે અનંતનાગે આતંકવાદીઓ દ્વારા અમરનાથ યાત્રાળુઓ પર હુમલો થયો હતો.હુમલાના એક વર્ષ પછી, ગુજરાત સરકારે તેમના રાજ્યના પ્રવાસીઓ માટે કેટલાક દિશાસુચનો કર્યા છે. સરકારે ટુર ઓપરેટર્સ દ્વારા મુસાફરી કરનારા મુસાફરો માટે બુલેટપ્રુફ જેકેટ પહેરવું ફરજિયાત કર્યુ છે. આ માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે ડ્રાઇવરોની વય મર્યાદા 50થી વધુ ન હોવી જોઈએ.ટ્રાન્સપોર્ટ કમિશનર આર.એમ. જાધવ કહે છે કે બુલેટપ્રુફ જેકેટ આપવાનો આદેશ હોમ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છે. આ એક સલાહ છે.
વડોદરાના ટુર ઓપરેટરનું કહેવું છે કે જેકેટ ખરીદવાથી મુસાફરો પર વધારે પડતો ભાર પડશે.તેમણે જણાવ્યું – જો અમે માર્ગદર્શિકાને અનુસરતા નથી તો સરકાર અમને પ્રવાસ પરમિટ આપશે નહીં.આ કારણે, કાગળ પરનું કામ વધી જશે.અે સિવાય યાત્રાળુઓને નવા નિયમો સમજાવવા થોડા મુશ્કેલ બનશે.અમે પ્રવાસીઓને તેમના બુલેટપ્રૂફ જાકીટ ખરીદવા માટે કહ્યું છે કારણ કે અમને તે પરવડી શકતા નથી.વડોદરા ટૂર અને ટ્રાવેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધીક ગાંધીએ જણાવ્યું હતું કે બુલેટપ્રુફ જેકેટની કિંમત રૂ. 12,000 છે.
દર વર્ષે ગુજરાતથી 5,000 થી 7,000 મુસાફરો અમરનાથ યાત્રા માટે નોંધણી કરે છે.તે જ સમયે 35,000 મુસાફરોની નોંધણી રદ કરવામાં આવે છે.ટૂર ઑપરેટર્સ સામાન્ય રીતે રૂ. 10,000 પ્રતિ વ્યક્તિ ચાર્જ કરે છે.ગાંધીએ કહ્યું- મોટાભાગના મુસાફરો વધારે પૈસા નથી ખર્ચી શકતા.
બસ ઑપરેટર્સ ખૂબ પરેશાન છે કારણ કે આ નિયમ ફક્ત તેમને જ લાગુ પડે છે.ટ્રેન અથવા પ્લેન દ્વારા મુસાફરી કરનારા તેમાંથી બાકાત છે.