મધ્યપ્રદેશનાં દમોહ જીલ્લામાં એક એવું ગામ છે, જ્યાં સાપને લઈને એક માન્યતાના કારણે આખું ગામ કાચા મકાનમાં રહે છે. ગામનાં લોકો કાચા મકાનમાં રહેવા માટે સદીઓથી એક માન્યતા સાથે જીવી રહ્યા છે. અને પાક્કા મકાનો બનાવતા નથી. વાસ્તવમાં લોકોનું માનવું છે કે, અહીં પાક્કા મકાન બનાવવામાં આવતા નથી કારણકે, એવું કરવા પર સાપ તેમને નુકસાન પહોંચાડે છે. જ્યારે કાચા મકાનમાં ગામમાં હજી સુધી કોઈ સાપે નુકસાન પહોંચાડ્યુ નથી. આ ગામનું નામ કરૈયા રાખ છે. અગીં લગભગ 200 થી વધારે પરિવાર કાચા મકાનોમાં રહે છે. જ્યારે ગામનાં લોકો બધી જ રીતે સંપન્ન છે અને આર્થિક સ્થિતિ મજબૂત હોવાની સાથે-સાથે આધુનિક સુવિધાઓ પણ ગામમાં ઉપલબ્ધ છે. જ્યાં લોકો કૃષિ પર નિર્ભર છે અને અહીં દરેક લોકો પાસે ટ્રેક્ટર, કાર અને ટુવ્હીલર વાહનો છે. લોકોની માન્યતા છે કે, 500 વર્ષ પહેલાં આ ગામના રાજા પાસે એક ઘોડો હતો જેને ચોરવા માટે ગામમાં ચોરો આવ્યા હતા. ચોરો તે ઘોડાને ચોરે તે પહેલાં એક સાપે ભવિષ્યવાણી કરી સાપે ભવિષ્યવાણીમાં ચોરોને આ ગામમાંથી જતા રહેવા માટે કહ્યુ હતુ. સાથે જ ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યુ હતુ કે, કોઈ પણ આ ગામમાં પાક્કી ઈંટ લગાવશે નહી. જો કોઈ પાક્કી ઈંટ લગાવશે તો નાગ દેવતા તેમને ડસી લેશે.
Wednesday, May 29