અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ગારા જયારે કોઇ પણ વસ્તુની વસૂલતા કરવાની હોય ત્યારે મોખરે બોલાય છે. પછીએ શહેરીજનો મિલ્કતરૂપી ટેક્સ કે હોય કે કોઇ સેવા સમાન્ય જનતા પાસે દંડાત્મક કાર્યવાહી કરવામાં કોઇ કસર છોડતી નથી અવાર-નવાર પોતાના આડેઘડ કરોડો રૂપિયાના ખર્ચઓને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં રહેતી હોય છે. કોરોનાના કપરાકાળમા રેમડેસિવર ઇન્જકેશનની ભારે માંગ હતી જયારે મનપા દ્ગારા ખાનગી હોસ્પિટલને ઇન્જેકશન આપવામાં આવ્યા હતા હાલ તે બાબતને 2 વર્ષ વીતી ચુક્યા છે.ખાનગી હોસ્પિટલો કોરોનામાં મજબૂરીનો ફાયદો ઉપાડી કોરોડો રૂપિયા ખંખેર્યા હતા હોવા છતા મનપાએ મીઠીનજર હેઠળ આપેલા રેમડિસિવર ઇન્જકેશનની રકમ ચૂકવણીમાં અત્યાર સુધી ન કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
એક તરફ કોરોનાકાળ દરમિયાન કોર્પોરેશનની તીજોરી પર ભારે બોજ વધ્યુ હોવાનો રટણ અધિકારીઓ અને પદાધિકારીઓ કરતા હોય છે. તો બીજા તરફ કરોડો રૂપિયાની હોસ્પિટલો પાસેથી વસૂલતા કરવામાં હજુ પણ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યો છે.
જયારે કોઇ સામાન્ય દુકાન કે મકાનનો ટેકસ બાકી હોય તો તંત્રના અધિકારીઓ દુકાનો સીલ મારવામાં કોઇ તક છોડતા નથી તો બીજી તરફ હજુ પણ કરોડો રૂપિયાનો દંડ ખાનગી હોસ્પિટલ વસૂલવામાં ખચકાટ અનુભવી રહ્યો છે. એક જાગૃત નાગરિક દ્ઘારા આર ટી આઇમાં ખુલાસો કરતા સામે આવ્યો છે કે હજુ પણ તંત્ર દ્ગારા 11 કરોડથી વધુ રકમ વસુલવાની બાકી છે.જેને લઇ અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે.