- 17 મહિના સુધી ચાલેલાં રિસર્ચમાં ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક એલિસને મૃતદેહ પર નજર રાખી
- શબની દરેક મૂવમેન્ટને કેમેરામાં કેદ કરી તેમાં ગતિ હોવાનું તારણ કાઢ્યું
હેલ્થ ડેસ્કઃ મર્યાં પછી પણ વ્યક્તિનું શરીર આશરે એક વર્ષ સુધી હલતું રહે છે. એટલે કે તે તેની જગ્યાએથી ખસે છે. શબ હલતું રહે છે. આ દાવો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક એલિસન વિલ્સને તેનાં રિસર્ચમાં કર્યો છે. 17 મહિના સુધી ચાલેલાં આ રિસર્ચમાં એલિસને શબ પર નજર રાખી અને તેની દરેક મૂવમેન્ટ કેમેરામાં કેપ્ચર કરી.
એલિસનનું કહેવું છે કે મર્યાં પછી પણ વ્યક્તિનાં શરીરમાં કેટલાક અંશે ગતિ કરે છે અને તેના કારણે અનેક શબ જીવતાં હોવાનો ભ્રમ પણ થાય છે.
શરીર સૂકાય છે અને મૂવમેન્ટ થાય છે
- એલિસન વિલ્સનના જણાવ્યા અનુસાર, તેમણે એક શબ પર કેસ સ્ટડી કર્યું. રિસર્ચની શરૂઆતમાં શબના હાથને શરીર સાથે અડાડીને રાખવામાં આવ્યો. સમય જતા જોવા મળ્યું કે હાથ ધીમે-ધીમે ખસીને બહારની તરફ આવી ગયો. વૈજ્ઞાનિકનું માનવું છે કે આ પ્રકારની હિલચાલનો સંબંધ ડિકમ્પોઝિશન સાથે છે. એટલે કે સમય સાથે જેમ-જેમ શરીર સૂકાય છે, તે મૂવમેન્ટ કરે છે.
- એલિસનનું કહેવું છે કે, આ રિસર્ચથી મર્ડર અને મૃત્યુના કેસોની તપાસ કરવામાં મદદ મળી શકે છે. મૃતદેહ પર રિસર્ચ કરવા માટે એલિસન દર મહિને ત્રણ કલાકની ફ્લાઇટ લઇને કેર્ન્સનાં સિડનીમાં જતી હતી. આ રિસર્ચ અહીં થઈ રહ્યું હતું. વ્યક્તિના મૃતદેહની હિલચાલનું નિરીક્ષણ કરવા માટે ટાઇમ લેપ્સ કેમેરા લગાવવામાં આવ્યો હતો, જે દર 30 મિનિટે મૃતદેહની તસવીરો લેતો હતો.
- એલિસનનું કહેવું છે કે, બાળપણથી જીજ્ઞાસા હતી કે મૃત્યુ પછી શરીરનું શપં થાય છે અને તેમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે. જો કે, હજી આ વધુ સારી રીતે સમજવા રિસર્ચ ચાલુ છે. ફોરેન્સિક સાયન્સ ઈન્ટરનેશનલ સિનર્જી જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર, આ રિસર્ચની મદદથી મૃત્યુ પછી શરીરમાં થતા ફેરફારો સમજી શકાશે.