ઈસરોના વૈજ્ઞાનિક એન વલરામતીનું હાર્ટ એટેકથી અવસાન થયું. વલરામતી રોકેટ લોન્ચિંગ માટે કાઉન્ટડાઉનનો હવાલો સંભાળી રહી હતી. વલરામતીએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન પણ કર્યું હતું.
જ્યારે દેશ ચંદ્રયાન-3 મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ISRO તરફથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિક એન વલરામતીનું હાર્ટ એટેકથી અવસાન થયું. વલરામતી રોકેટ લોન્ચિંગ માટે કાઉન્ટડાઉનનો હવાલો સંભાળી રહી હતી. વલરામતીએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન પણ કર્યું હતું. ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સારી નહોતી. તેની સારવાર કરવામાં આવી હતી, પરંતુ હૃદયરોગના હુમલાથી તેનું મૃત્યુ થયું હતું.