સામાન્ય રીતે યુવતીઓ લગ્ન બાગ સાસરે જતી રહેતી હોય છે અને પોતાનુ બાકીનું જીવન ત્યાં જ પસાર કરે છે. પરંતુ આપણા દેશમાં એક જગ્યા એવી પણ છે જ્યાં લગ્ન બદ યુવતીઓ સાસરે નથી જતી પરંતુ જમાઈ જ યુવતીના ઘરે આવીને રહે છે. ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સ્થિત આ ગામનું નામ હિંગુલપુર છે. હિંગુલપુરને જમાઈઓનાં ગામની રીતે પણ ઓળખવામાં આવે છે.
દિકરીને બચાવવા અનોખી રીત
એવો પણ સમય હતો જ્યારે હિંગુલપુર ગામ કન્યા ભ્રુણ હત્યા અને દહેજ હત્યામાં ખૂબ આગળ હતું પરંતુ આજના સમયમાં આ ગામે પોતાની દિકરીઓને બચાવવા માટે અનોખી રીત અપનાવી છે. દર્શકો પહેલા ગામના વૃદ્ધોએ યુવતીઓને લગ્ન બાદ પિયરમાં જ રાખવાનો નિર્ણય કર્યો. ગામના મુસ્લિમ સમુદાયે પણ આ રીતને અપનાવી લીધી છે. હિંગુલપુર ગામની યુવતીઓ સાથે લગ્ન કરવા માટે આ એક મુખ્ય શરત હોય છે.
એક ઘરમાં જમાઈઓની પેઢીઓ વસેલી છે
ગાંમમાં રહેવા આવી રહેલા જમાઈને રોજગારની પણ મુશ્કેલી ન થાય તેની પણ કાળજી ગામના લોકો મળીને કરે છે. હિંગુલપુર ગાંમમાં આસપાસના જિલ્લાઓ જેવા કે કાનપુર, ફતેહપુર, પ્રતાપગઢ, ઈલાહાબાદ અને બાંગાના જમાઈઓ રહી રહ્યા છે. આ ગામની પરણિત મહિલાઓ પોતાના પતિઓની સાથે ઘર-ગૃહસ્થી વસાવી લીધો છે. આટલું જ નહીં અહીં એક ઘરમાં જમાઈઓની પેઢીઓ વસેલી છે.
મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા મુખ્યાલયની પાસે પણ આવું એક ગામ
આપણા દેશ ભારતમાં હિંગુલપુર ફક્ત એવુ એકલુ ગામ નથી. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા મુખ્યાલયની પાસે પણ આવું એક ગામ છે જ્યાં જમાઈઓ આવીને રહે છે. અહીંના બિતલી નામનું ગામ જમાઈઓના ગામના નામથી ફેમસ છે.લગ્ન બાદ પણ યુવતીઓને પોતાની સાથે રાખવા પાછળનું કારણ એ પણ છે કે દિકરીના લગ્ન ક્યાંક દૂર કરવા પર બીજા પરિવાર વિશે દરેક જાણકારી નથી મળી શકતી. ઘણી વખત અડધી જાણકારી પર જ સંબંધ તોડી દેવામાં આવે છે. જેના કારણે બન્ને પક્ષ પરેશાન થાય છે. આ સમસ્યા સાથે નિપટવા માટે વિસ્તારોમાં દિકરીની સાથે જમાઈઓના ઘર વસાવવાના રિવાજ ચલણમાં છે.