ગરોળી આપણા ઘરની અણગમતી મહેમાન છે, જો કે તે દિવાલોમાં રહેલા જંતુઓ ખાઈને આપણને મદદ કરે છે, તેમ છતાં આપણે તેને જોવાનું પસંદ કરતા નથી કારણ કે તે અણગમો અને ભય પેદા કરે છે. ઘરમાં છુપાયેલી હોવા છતાં, ગરોળી ચોક્કસપણે તેની હાજરીનો અહેસાસ કરાવે છે. જ્યારે આપણે તેમનો ‘કટ-કટ-કટ’ જેવો અવાજ સાંભળવા માંડીએ છીએ, ત્યારે આપણે ખૂબ જ ચિડાઈ જઈએ છીએ. કેટલીક યુક્તિઓ દ્વારા, તમે તેમને ઘરની બહાર કાઢી શકો છો.
ગરોળીને કેવી રીતે દૂર કરવી
1. મરી સ્પ્રે
કાળા મરી ગરોળીના શરીરમાં બળતરા પેદા કરી શકે છે, તેથી ઘરના તે ખૂણામાં કાળા મરીનો છંટકાવ કરો જ્યાંથી ગરોળીનો અવાજ આવે છે. તેના દ્વારા આ જીવને ભગાડી શકાય છે.
2. નેપ્થાલિન બોલ્સ
કપડાંને જંતુઓથી બચાવવા માટે આપણે નેપ્થાલિન બોલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેની મદદથી તમે ગરોળીને ઘરથી દૂર પણ ભગાડી શકો છો. ખરેખર, ગરોળીને તેની ગંધ ગમતી નથી અને જ્યારે આપણે તેને ઘરના ખૂણામાં રાખીએ છીએ, ત્યારે આ પ્રાણી તેની પૂંછડી દબાવીને ભાગી જાય છે.
3. એગશેલ્સ
ઈંડાને તોડ્યા પછી, આપણે તેની છાલ ઘણી વખત ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ, પરંતુ તમે તેનો ઉપયોગ ગરોળીને ભગાડવા માટે પણ કરી શકો છો. જ્યાં ગરોળી આવે છે ત્યાં તમે દીવાલો પર તાજા ઈંડાના શેલ મુકો છો. તે તેની ગંધથી આપોઆપ ભાગી જશે
4. ડુંગળી અને લસણ
ડુંગળી અને લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે, જે ગરોળીને બિલકુલ પસંદ નથી. જો તમે ઇચ્છો તો તેના ટુકડાને ઘરના ખૂણામાં રાખી શકો છો અથવા તેનો રસ કાઢીને દરેક જગ્યાએ છાંટી શકો છો, આનાથી ગરોળી નજીક નહીં આવે.