નવી દિલ્હી. ભારતીય સેનાએ અહેવાલોને નકારી કાઢતા કહ્યું હતું કે, લદાખમાં ચીની સેનાએ ભારતીય સેના અને આઇટીબીપીના જવાનોની સંયુક્ત પેટ્રોલિંગની અટકાયત કરી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, એક ભારતીય પેટ્રોલિંગ પાર્ટી, જેમાં સેનાએ અને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (આઈટીબીપી)ના જવાન હતા, તેને લદાખમાં ઝપાઝપી બાદ ગત સપ્તાહે ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય ટીમને અટકાયતમાં લેવામાં આવી હતી અને તેમના શસ્ત્રો પણ ચીનીઓએ છીનવી લીધા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્થાનિક સ્તરે બંને પક્ષો વચ્ચેની વાતચીત પછી જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે અટકાયતનો અહેવાલ ખોટો છે. ભારતીય સેનાના પ્રવક્તા અમન આનંદે પુષ્ટિ કરી કે રિપોર્ટ ખોટો છે.
અમન આનંદે કહ્યું, “અમે સ્પષ્ટપણે આ વાતનો ઇનકાર કરીએ છીએ, જ્યારે મીડિયામાં આવા સમાચાર આવે છે ત્યારે તે ફક્ત રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડે છે.”
ચીની દળો પર ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી અને પેંગોંગ તળાવ પર મોટર બોટ સાથે આક્રમક પેટ્રોલિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તનાવને કારણે, બંને સૈન્યએ આગળના સ્થળોએ તેમના સૈન્ય અને ઉપકરણોની તૈનાત વધારી દીધી છે. આગળનાં બંને સ્થળોએ હાઈએલર્ટ છે, જ્યાં તનાવ અને ઘર્ષણ થયું છે.
ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, તે ભારતીય ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની ચીની ઘુસણખોરીને મંજૂરી આપશે નહીં અને જ્યાં ઘર્ષણ થયા છે તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.
ભારતીય સેના પ્રમુખ, જનરલ મનોજ મુકુંદ નરવાને શુક્રવારે લદ્દાખના 14 કોર્પ્સના મુખ્ય મથક લેહની મુલાકાત લીધી હતી અને ચીન સાથે લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ પર સૈન્ય તૈનાતની સમીક્ષા કરી હતી.
ઉત્તર પૂર્વી પ્રદેશના વિકાસ મંત્રાલયના રાજ્ય પ્રધાન જીતેન્દ્ર સિંહે પણ આ અંગે ટ્વીટ કરી, આ અહેવાલ ખોટા હોવાનું જણાવ્યું હતું.
A dangerously FAKE NEWS:
There has been no detention of Indian soldiers at China border. It is categorically denied by #IndianArmy .
Such irresponsible media reporting hurts national interests. Confirmed with Army spokesperson Col Aman Anand. pic.twitter.com/JZ7LqO82th— Dr Jitendra Singh (@DrJitendraSingh) May 24, 2020