નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને લીધે સ્થિતિ ખરાબ થઈ છે. તેવામાં અનેક જગ્યાઓ પર રસીની અછત, ઓક્સિજન અને બેડ્સની અછતની ફરિયાદ આવી રહી છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને કોંગ્રેસ સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં 6 કરોડ રસીની નિકાસ કરવાની શુ જરુર હતી. તે સમયે તો ફક્ત 3થી 4 કરોડ લોકોનું રસીકરણ થયું હતુ. આખરે ભારતીયોને પ્રાથમિકતા કેમ ન આપવામાં આવી.
પ્રિયંકાએ સરકાર પર રસીની અછતને લઈને કોઈ પાક્કી રણનીતિ નહીં હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત કેમ થઈ, પ્રિયંકાએ મોદી સરકારને સવાલ કર્યો કે દુનિયામાં ઓક્સિજન ઉત્પાદન કરવામાં ભારત સૌથી ઉપર છે તો પણ અહીં ઓક્સિજનની અછત કેમ થઈ રહી છે. તમારી પાસે 7થી 8 મહિના સુધીનો સમય હતો. જાણકારોનું કહેવું છે કે બીજી લહેર વિશે સચેત પણ કહ્યા હતા. પરંતુ તમે તેના પર ધ્યાન આપવું યોગ્ય ન સમજ્યા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ઉદાસીનતાના કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
વર્લ્ડોમીટર મુજબ મંગળવારે રાતે 12 વાગે 24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત થયા છે. આંકડા મુજબ આ સમયમાં મંગળવારે 2, 94,115 કોરોના વાયરસના નવા સંક્રમિત મળ્યા છે. આ દેશમાં એક દિવસમાં મળેલા કુલ નવા સંક્રમિતોના સૌથી મોટી સંખ્યા છે.
સતત 5માં દિવસે કોરોનાથી રેકોર્ડ બ્રેક મોત નોંધાયા છે. આ મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલી સૌથી મોટી સંખ્યા છે. મરનારાની કુલ સંખ્યા વધીને 1,82, 570 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 56, 09, 004 છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 21, 50, 119 છે. કુલ સંક્રમિતોની સંખ્યા 13. 8 ટકા છે.
દેશમાં રસીકરણ ચાલુ છે. આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જાણકારી આપી છે કે દેશમાં રસીકરણ ડોઝ લગાવવાનો આંકડો 13 કરોડને પાર કરી ગયો છે. તેમણે આ વાતની જાણકારી ટ્વીટ કરી આપી છે.
હાલમાં દેશમાં 45 વર્ષથી વધારે ઉમંરના લોકોને રસી અપાઈ રહી છે. ત્યારે સરકારે અગામી 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને રસી લગાવવાનો નિર્ણય કર્યો છે.