સંત મોરારીબાપુ પર દ્વારકાનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યાની ધટનામાં પબુભા માણેકની મુશ્કેલીઓ વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ સાધુ સમાજ અને વૈષ્ણવ સમાજ પહેલેથી જ આ મામલે લાલધુમ જોવામાં આવી રહ્યો છે, તો ગુજરાતનાં મુખ્યમંત્રી સહિતનાં અનેક લોકો આ મામલાને વખોડી ચૂક્યા છે. ત્યારે જામનગર આહીર સમાજ પણ આ મામલે રોષે ભરાયેલા જોવામાં આવી રહ્યા છે.
જામનગર એટલે કે હાલાર આહીર સમાજ દ્વારા આ મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં સમગ્ર બનાવને આહીર સમાજએ વખોડી કાઢ્યો છે. આહીર સમાજ દ્વારા પબુભા માણેક પર પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે તેવી વાત સુત્રોનાં માધ્યમથી મળી રહી છે. જામનગરનાં ડે. મેયર અને આહીર સમાજનાં અગ્રણી કરસન કરમુર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, પબુભા માણેક દ્વારા અશોભનિય વર્તનને આહીર સમાજ સખત શબ્દોમાં વખોડી રહ્યું છે.