બીજેપીના પૂર્વ નેતા નુપુર શર્માની પયગંબર પર કરેલી ટિપ્પણીને લઈને શુક્રવારે દેશના ઘણા શહેરોમાં વાતાવરણ વણસી ગયું હતું. દિલ્હી, સહારનપુર, પ્રયાગરાજ, લુધિયાણા, મુંબઈ, હાવડા, તેલંગાણા અને મુરાદાબાદમાં શુક્રવારની નમાજ બાદ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો.
#WATCH | Stones hurled during clashes in Atala area of UP's Prayagaraj over controversial remarks of suspended BJP leader Nupur Sharma and expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/fZGmQYezs7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 10, 2022
પ્રયાગરાજના અટાલા વિસ્તારમાં પથ્થરમારો થયો હતો, જેમાં ADG પ્રેમ પ્રકાશના વાહનના કાચ તૂટી ગયા હતા અને તેમના ગનર ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તે જ સમયે, કાનપુરની સ્થિતિને જોતા, પોલીસ દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ક્યાંક ફ્લેગ માર્ચ થઈ રહી છે તો ક્યાંક ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
#WATCH Huge protest in UP's Saharanpur over inflammatory statements of suspended BJP leader Nupur Sharma and expelled BJP leader Naveen Kumar Jindal pic.twitter.com/H9z9sDvFWx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 10, 2022
મુરાદાબાદ અને સહારનપુરમાં પણ વાતાવરણ અસ્તવ્યસ્ત જોવા મળ્યું અને મુસ્લિમોએ વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. તે જ સમયે, મુરાદાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, જિલ્લામાં શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે થઈ હતી. સૂત્રોચ્ચાર કરનારાઓ બાદમાં વિખેરાઈ ગયા હતા.
સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં શુક્રવારની નમાજ બાદ થયેલા હંગામાને લઈને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. CMએ કહ્યું કે તોફાનીઓ, પથ્થરબાજો સામે કડક પગલાં લેવા જોઈએ. ACS અવનીશ અવસ્થી, એક્ઝિક્યુટિવ DGP અને ADG કાયદો અને વ્યવસ્થા પોલીસ હેડક્વાર્ટરથી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
#WATCH Prayagraj ADG's vehicle damaged after a protest erupted in Atala area over controversial remarks of suspended BJP leader Nupur Sharma & expelled BJP leader Naveen Kumar Jindal, earlier today
The ADG was on ground to control the law&order situation as a protest erupted pic.twitter.com/lCCYrTyBOq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 10, 2022
દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં, લોકો શુક્રવારની નમાજ પછી એકઠા થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે નૂપુર શર્માનું પૂતળું પણ બાળ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને ત્યાંથી હટાવ્યા. હાલ આ વિસ્તારમાં શાંતિ છે.
જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે, અમને ખબર નથી કે વિરોધ કરનારા કોણ હતા. મને લાગે છે કે તે AIMIM અથવા ઓવૈસીના લોકો હતા. અમે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ પ્રદર્શન કરવા માંગતા હોય તો કરી શકે છે પરંતુ અમે તેમને સમર્થન નહીં આપીએ. તેમણે વધુમાં કહ્યું કે, મસ્જિદ કમિટી તરફથી વિરોધનું કોઈ કોલ આવ્યું નથી. વાસ્તવમાં, ગુરુવારે જ્યારે લોકો વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા હતા, ત્યારે અમે તેમને સ્પષ્ટપણે કહ્યું કે જામા મસ્જિદ (સમિતિ) તરફથી વિરોધ માટે કોઈ બોલાવવામાં આવ્યું નથી.
#WATCH People in large numbers protest at Delhi's Jama Masjid over inflammatory remarks by suspended BJP leader Nupur Sharma & expelled leader Naveen Jindal, earlier today
No call for protest given by Masjid, says Shahi Imam of Jama Masjid. pic.twitter.com/Kysiz4SdxH
— ANI (@ANI) June 10, 2022
સેન્ટ્રલ દિલ્હી ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, 1500 લોકો જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ માટે એકઠા થયા હતા. પ્રાર્થના બાદ 300 લોકો બહાર આવ્યા અને વિરોધ કરવા લાગ્યા. અમે 10-15 મિનિટમાં પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી. કોઈપણ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સિવાય પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં મુસ્લિમોએ નૂપુર શર્માની ટિપ્પણીને લઈને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને શાંત પાડ્યા હતા. આ સિવાય કોલકાતાના પાર્ક સર્કલ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
#WATCH | Maharashtra: Women carry out a protest march in Navi Mumbai against the controversial remarks by suspended BJP leader Nupur Sharma. pic.twitter.com/hiFVeSHZRE
— ANI (@ANI) June 10, 2022
લુધિયાણામાં પણ નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીથી મુસ્લિમો રોષે ભરાયા હતા. તેઓએ નુપુર શર્માના પૂતળાનું દહન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. લુધિયાણાના શાહી ઈમામે કહ્યું કે, લુધિયાણાની જામા મસ્જિદે વિરોધનું એલાન આપ્યું હતું. પયગંબરનું અપમાન કરનારાઓની ધરપકડ થવી જોઈએ. તેલંગાણાના હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા અને વિરોધ શરૂ કર્યો. બાદમાં પોલીસ આવી જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. હાલમાં આ વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. તેમણે પદયાત્રા પણ કાઢી હતી.