બાલાસોર ટ્રેન દુર્ઘટના: ઓડિશાના બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને માલગાડીની ટક્કર બાદ મૃતકોની સંખ્યા વધીને 233 થઈ ગઈ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનમાં સવાર લગભગ 900 લોકો ઘાયલ પણ થયા છે. બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને માલગાડીના અકસ્માત બાદ બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે. રેલ્વે મંત્રી અશ્નાની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
પ્રદીપ જેનાએ કહ્યું કે અત્યાર સુધીમાં 900 લોકો ઘાયલ થયા છે, તેમની સારવાર ચાલી રહી છે. 233 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. NDRF, ODRAF અને ફાયર વિભાગ હજુ પણ બોગીને કાપીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોર જિલ્લાના બહનાગા ખાતે ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં.
#WATCH | Latest visuals from the site of the deadly train accident in Odisha's Balasore. Rescue operations underway
The current death toll stands at 233 pic.twitter.com/H1aMrr3zxR
— ANI (@ANI) June 3, 2023
રેલ્વે પ્રવક્તાના જણાવ્યા અનુસાર શાલીમાર-હાવડા કોરોમંડલ એક્સપ્રેસના લગભગ 12 થી 15 ડબ્બા સાંજે 6.51 વાગ્યે બહનાગા સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે કેટલાક કોચ બીજા ટ્રેક પર પહોંચ્યા હતા, ત્યારે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ (12864) ટ્રેન તે જ જગ્યાએ સાંજે 6.55 વાગ્યે કોચ સાથે અથડાઈ હતી. રેલવેએ બાલાસોરમાં ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 91 6782 262 286 જારી કર્યો છે.
#WATCH | Odisha | Search and rescue operation underway for #BalasoreTrainAccident that claimed 233 lives so far.
As per State's Chief Secretary Pradeep Jena, one severely damaged compartment still remains and NDRF, ODRAF & Fire Service are working to cut through it to try to… pic.twitter.com/BQZSm0JQ4z
— ANI (@ANI) June 3, 2023
ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. મોદીએ દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. રેલ્વે મંત્રીએ દરેકને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મૃતકોના પરિજનો, ગંભીર રીતે ઘાયલ પ્રત્યેકને બે લાખ રૂપિયા અને હળવા ઈજાગ્રસ્તોને 50,000-50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.