બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી પશુ સહાય આંદોલન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગૌ શાળા સંચાલકો અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથે બેઠક યોજાઇ હતી. આવતીકાલે ગૌશાળાઓને કાયમી સહાયની માંગ સાથે સંચાલકો મુખ્યમંત્રીને રજુઆત કરશે તેવો નિર્ણય લેવાયો છે. છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલા પશુ સહાય આંદોલન મામલે આજે સરકારે પાંજરાપોળને સો કરોડની સહાય ચૂકવવાની વાત કરી છે. જોકે ગૌશાળા સંચાલકો આ સહાય સ્વીકારવા તૈયાર નથી, અને આ મામલે આજે ટેટોડા ગૌશાળા ખાતે 200 થી પણ વધુ ગૌ શાળા સંચાલકો ની બેઠક યોજાઇ હતી જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા જો ગૌ શાળા સંચાલકોએ પશુઓની સહાય માટે રજૂઆત કરી હતી.
Saturday, May 18