અમદાવાદ શહેરમાં પણ સંપૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો સાંજે જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણ હોવાના કારણે ધાર્મિક બાબતોમાં માનનાર અને વિશેષ માન્યતા ધરાવનાર લોકો બપોર બાદ ભોજન કરતા નથી. ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. બીજી બાજુ ચંદ્રગ્રહણ હોવાના કારણે આજે સવારથી જ જુદા જુદા મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાઓએ આરતીનો સમય વહેલીતકે કરી દેવામાં આવ્યો હતો. જલ્દીથી આરતી પુરી કરી લેવામાં આવી હતી. આરતી પૂર્ણ કરીને મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરોમાં દર્શન અને આરતીના સમય બદલાયા હતા. મળેલી માહિતી મુજબ વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ પણ આની નોંધ લીધી હતી. બીજી બાજુ ભારતમાં આ વર્ષે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના નજારા જોવા મળનાર છે. ચંદ્રગ્રહણ હોવાથી આજે ચંદ્ર દરરોજની સરખામણીમાં ૧૪ ગણો વધારે મોટો દેખાયો હતો. વિશ્વના જુદા જુદા દેશોમાં ખગોળિય ઘટનાને નિહાળવા વૈજ્ઞાનિકો સજ્જ રહ્યા હતા. કેટલાક અંધવિશ્વાસ સાથે જોડાયેલા લોકો પણ આને લઇને હંમેશા સાવધાન રહેતા હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દરેક ભાગમાં દેખાયો હતો. સાંજે ચંદ્રગ્રહણની શરૂઆત થયા બાદ મુખ્ય ચંદ્રગ્રહણ સૂર્યાસ્ત પછી ૬.૨૦ વાગ્યાથી શરૂ થયો હતો. ૭.૨૫ વાગ્યા બાદ ચંદ્ર ફિક્કુ પડતું દેખાયુ હતું. આ ગ્રહણ મોડે સુધી ચાલ્યું હતું
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.