નવી દિલ્હીઃ નોટબંદીના નિર્ણય બાદ 8 દિવસથી કેશના કકળાટ વચ્ચે લાઇનોમાં ઉભા રહીને લોકો નાણા એક્સચેન્જ કરવી રહ્યાં છે. બેંક બ્રાન્ચો અને ATMની બહાર લોકોની લાંબી લાઇનો છે. ત્યારે આ બધી બાબતોની વચ્ચે RBIએ સ્પષ્ટતા કરી છે કે બેંકોની લાઇનમાં ઉભેલા રહેલા લોકોમાં માત્ર એ જ લોકોના જમાણા હાથની આંગળી પર શાહીનું નિશાન લગાવવામાં આવશે જે મની એક્સચેન્જ માટે આવ્યા હશે. RBIએ સ્પષ્ટતા કરી છે કે પૈસા નિકાળવા માટે આવેલા લોકોના હાથ પર શાહીનું નિશાન નહીં લગાવવામાં આવે. RBIએ જણાવ્યું છે કે એક સપ્તાહમાં 24000 રૂપિયા સુધી પૈસા નિકાળવાની લિમીટ છે. જે જે તે વ્યક્તિના ખાતામાંથી તે નિકાળી શકશે. તેથી તેમાં તપાસની જરૂર નથી. જોકે નોટ બદલવા આવેલા લોકોની ઓળખની જરૂર છે.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે કેન્દ્રીય નાણા સચિવ શક્તિકાંત દાસએ જાહેરાત કરી હતી કે બેંકોમાં નોટ બદલા માટે લાંબી લાઇને લાગે છે. જેના કારણે કેટલાક જરૂરિયાત મંદ લોકોને પૈસા પ્રાપ્ત થતા નથી. ત્યારે આવી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે કે વારંવાર નોટ બદલવા આવનાર લોકોની ઓળખ થશે. તેના માટે જ જમણા હાથની આંગળીમાં શાહી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી નવા લોકોને પણ પૈસા પ્રાપ્ત થાય.
સુપ્રીમ કોર્ટે સરકારના નોટબંદીના નિર્ણય પર પ્રતિબંધ લાદવાની ના પાડી દીધી છે. એક જનહિત અરજી પર સુનાવણી કરવા સાથે સુપ્રીમ કોર્ટે 500 અને 1000 રૂપિયાની નોટબંધ કરવાના નિર્ણય બાદ સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલી પર સરકારે જણાવ્યું છે કે સામાન્ય વ્યક્તિને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે. કોર્ટે સરકારને પરિસ્થિતિ સુધારવા અંગે જરૂરી પગલાં લેવા નિર્દેશ કરવા જણાવ્યું છે. કોર્ટે સામાન્ય જનતાને પડી રહેલી અગવડોને લઇને સરકાર પાસે જવાબ માંગ્યો છે. જે અંગે આગામી સુનાવણી 25 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.