નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંમસેવક સંગ એટલે કે આરએસએસમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આરએસએસના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલે ઉપર મહોર લાગી ગઈ છે. દત્તાત્રેય હોસબોલે ભૈયાજી જોશીનું સ્થાન લેશે. જોશી છેલ્લા 12 મહિનાથી આ પદ પર હતા. દત્તાત્રેયને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ સરકાર્યવાહ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં ઘણા લાંબા સમયથી પરિવર્તન અંગે અટકળો ચાલી રહી હતી. અંતે આ બદલાવ પર મહોર લાગી ગઈ છે.
ચૂંટણીને લઈને આરએસએસના ઇતિહાસમાં ક્યારેય પણ મતદાનની જરૂર નથી પડી. દર વખતે સરકાર્યવાહની ચૂંટણી નિર્વિરોધ થાય છે. આ વખતે પણ આવું જ થયું છે. ઓમના ધ્વની નાદ સાથે દત્તાત્રેય હોસબલેના નામ પર સંઘની અખિત ભારતીય પ્રતિનિધિ સભાએ મહોર મારી દીધી હતી.
દત્તાત્રેય હોસબોલે અંગ થોડી વાત કરીએ તો દત્તાત્રેય હોસબલે કર્ણાટકના શિમોગાના નિવાસી છે. વર્ષ 1973માં તેઓ આરએસએસના સંપર્કમાં આવ્યા હતા. બેંગલુરુ યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી વિષયમાં અનુષ્નાતકની પદવી મેળવી છે.
દત્તાત્રેય હોસબલે ABVP કર્ણાટકના પ્રદેશ સંગઠન મંત્રી રહી ચૂક્યા છે. જે બાદમાં તેઓ એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અને સહ સંગઠન મંત્રી પણ રહ્યા હતા. છેલ્લા બે દશકાથી તેઓ ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. 2002-03માં તેમને સંઘના અખિલ ભારતીય સહ બોદ્ધિક પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2009ના વર્ષથી તેઓ સહ સરકાર્યવાહની ફરજ નિભાવી રહ્યા છે.