રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્કીય માહોલ પણ બનતું જઇ રહ્યો છે. આ વખતે ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનવા જઇ રહી છે. ભાજપ- કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવી છે. 2022 વિધાનસભાની ચૂંટણી લઇ ભાજપ 150 બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરશે જેને ચૂંટણી પહેલા ભાજપ દ્ઘારા તોડ-જોડની નિતી આપનાવમાં આવી રહી છે. આદિવાસી વિસ્તારએ કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક રહી છે. ભાજપ દ્ઘારા આ વોટબેન્ક ગાંબડુ પાડવા રણનિતિ તૈયાર કરી લીધી છે. જે પ્રકાર થોડકા દિવસ આગાઉ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ભાજપમાં સમાવવા આવ્યા હતા ત્યારબાદ હવે ભાજપની નજર હવે કોંગ્રેસના પરંપરાગત બેઠક અને સર્વગસ્થ અનિલ જોષીયારાના નિધન બાદ ખાલી પડેલી બેઠકને અંકે કરવા કેવિલ જોષીયારાને ભાજપામાં જોડાવા માટે કવાયત હાથધરી છે. અને આદિવાસી વિસ્તારોમાં ભાજપ દ્ગારા ઓપરેશન લોટસ ચલાવમાં આવી રહ્યો છે ભિલોડામાં ભાજપમાં જોડાવા પહેલા કેવિલ જોષીયારા એક સમાજિક સંમેલન રાખશે ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા અનેક કદાવર નેતાઓ કોંગ્રેસને સાથ છોડી દીધું છે જેની શરૂઆત કોંગ્રેસના આક્રમક પ્રવક્તા જયરાજસિંહ પરમારથી થઇ હતી
જાણો કયા-કયા દિગ્ગજ નેતાઓ ચૂંટણી પહેલા છોડ્યો હાથ
જયરાજસિંહ પરમાર જે મહેસાણ સહિત ઉત્તર ગુજરાતમાં મોટો માથુ તરીકે ગણાય છે જેને લઇ આ વખતે ચૂંટણીમાં ભાજપને ઘણું લાભ થઇ શકે છે.
અશ્વિન કોટવાલ જે આદિવાસી વિસ્તારોમાં સારો પ્રભુત્વ ધરાવે છે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા કોંગ્રેસ નેતાઓ સાથે થતા અણબનાવને લઇ કોંગ્રેસમાંથી વિદાય લઇ ભાજપમાં સમલિપ્ત થયા હતા
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જે રાજકોટમાં કોંગ્રેસના કાદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે.તેમણે પણ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નવા માળખા પોતાના હોદ્દેદારોના સ્થાન ન મળતા નારાજગી વ્યકત કરી આપમાં જોડાયા હતા
હાર્દિક પટેલ આંદોલન સમયેથી ઉભરી આવેલા અને પાટીદાર અનામત આંદોલન નેતૃત્વ કરી રહેલા યુવા નેતા છે. જેઓ કોંગ્રેસમાં 2017 વિધાનસભાન ચૂંટણીને લઇ પાટીદાર આંદોલનથી ઘણો ફાયદો જોવા મળ્યો હતો કોંગ્રેસ પાટીદારો પત્યે એક વિશ્વાસ ઉભો કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો જેમણે કોંગ્રેસમાં મોહભંગથી થતા ચૂંટણી પહેલા છેડો ફાડ્યો છે.