પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અને બાદ પણ ભાજપના ઘણા નેતાઓ TMCમાં જોડાયા છે. પશ્રિમ બંગાળમાં ભાજપના નેતાઓના પાર્ટીમાંથી રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે. હવે પશ્ચિમ બંગાળના બીજેપી ઉપાધ્યક્ષ અર્જુન તેઓ ટીએમસીમાં સમર્પિત કરી તેવી અટકળો તેજ બની છે.
એક પ્રતિષ્ઠિત ન્યુઝ એજન્સી અનુસાર, પશ્ચિમ બંગાળ બીજેપીના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે સંગઠનમાં વરિષ્ઠ પદ પર હોવા છતાં તેમને યોગ્ય રીતે કામ કરવા ન દેવાની વાત કરી છે. તેમણે રાજ્યમાં ભાજપની નેતાગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાય તેવી શક્યતા છે.
સિંહે કહ્યું કે હું હાલમાં જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યો હતો અને તેમને પાર્ટીના રાજ્ય એકમની સ્થિતિ વિશે જણાવ્યું હતું. સમર્પિત કાર્યકારોને તેમની યોગ્ય ઓળખ આપવામાં આવતી નથી. પ્રદેશ ઉપપ્રમુખ હોવા છતાં મને યોગ્ય રીતે કામ કરવા દેવામાં આવતું નથી. જણાવી દઈએ કે અર્જુન સિંહ 2019માં ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા હતા.