ઉત્તરાખંડઃ કોરોના સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે બીજેપી સરકાર કોરોનાને નાથવા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો વિપક્ષ પાર્ટીઓ કરી રહી છે. આવી સ્થિતિ વચ્ચે બીજેપીના દિગ્ગજ નેતાએ ભાંગરો વાટ્યો છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે કોરના વાયરસને પણ જીવવાનો અધિકાર છે. આપણે તેની પાછળ પડ્યા છીએ અને તે બચવા માટે રૂપ બદલી રહ્યો છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિવેદનનો વીડિયો શેર કરતાં જ ઈન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ તંજ કસ્યો અને કહ્યું કે કોરોના એક પ્રાણી છે તો તેનું આધાર કાર્ડ અને રાશન કાર્ડ પણ હશે.
સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઉત્તરાખંડા પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે વાયરસ પણ એક પ્રાણી છે. આપણે એક પ્રાણી છીએ, આપણે પોતાને બુદ્ધિમાન સમજીએ છીએ. તે પ્રાણી જીવવા ઈચ્છે છે. તેને પણ જીવવાનો અધિકાર છે. આપણે તેની પાછળ પડ્યા છીએ અને તે બચવા માટે પોતાનું રૂપ બદલી રહ્યો છે. તે બહુરૂપિયો બની ચૂક્યો છે.
ઈન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ તંજ કસ્યો અને કહ્યું કે કોરોના એક પ્રાણી છે તો તેનું આધાર કાર્ડ અને રાશન કાર્ડ પણ હશે ઈન્ડિયન યૂથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કેશવ ચંદ યાદવે કહ્યું કે પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નિવેદન હાસ્યા સ્પદ છે. કોરોના વાયરસને એક પ્રાણી ગણાવ્યું છે. વીડિયોમાં વાયરસની જીવવાની ઈચ્છા પર જ્ઞાન આપ્યું છે. રાવતજી હવે બસ કોરોનાનું આધાર કાર્ડ બનવાનું બાકી છે.
ઉત્તરાખંડમાં ગઈકાલે એટલે કે ગુરુવારે કોરોના સંક્રમણના 7127 નવા કેસ આવ્યા છે અને મહામારીથી 122 દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગની જાણકારી અનુસાર કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 271810 થઈ છે.