27 ફેબ્રુઆરી, સોમવારે મોડી રાત્રે ગ્રેટર નોઈડાના દાદરીમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા દરમિયાન ઈ-રિક્ષામાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ચારેબાજુ અરાજકતા સર્જાઈ હતી. ફટાકડા ફોડવાથી બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દાદરી શહેરમાં સોમવારે ડ્રમ અને ડીજેના તાલે જગન્નાથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આતશબાજી પણ કરવામાં આવી હતી. જેમાં એક ફટાકડા આગળ જતા ઈ-રિક્ષા પર પડ્યો હતો, જેમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. જેના કારણે ફટાકડામાં આગ લાગી હતી. આગ લાગતા જ અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
#Watch : ग्रेटर नोएडा के दादरी में सोमवार देर शाम भगवान जगन्नाथ की शोभायात्रा के दौरान ई-रिक्शे में रखे पटाखों में आग लग गई। इससे चारो तरफ अफरा-तफरी मच गई। घटना का वीडियो तेजी से वायरल हो रहा है।#greaternoida #dadri #viralvideo pic.twitter.com/uz1ah4RJBj
— Hindustan (@Live_Hindustan) February 28, 2023
આ ઘટનામાં ફટાકડાનો ઉપયોગ કરનાર દાદરીના રહેવાસી સલમાન અને ઈ-રિક્ષાનો ડ્રાઈવર પપ્પુ બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની સારવાર ચાલી રહી છે.