નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે પ્રમુખ હથિયાર કોરોના વેક્સીનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે મોટી ડીલ ફાઈનલ કરી છે. મોદીર સરકાર હૈદરાબાદ સ્થિત વેક્સીન નિર્માતા કંપની બાયોલોજિકલ-ઈ લિમિટેડ સાથે 30 કરોડ રસીના ડોઝ ખરીદવા જઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે બાયોલોજિકલ-ઈ લિમિટેડ સાથે કોવિડ-19ની વેક્સીનના 30 કરોડ ડોઝ માટે અગ્રિમ વ્યવસ્થાને અંતિમ રૂપ આપી દીધું છે. આ રસીની ખોરાક ઓગસ્ટ ડિસેમ્બર 2021માં મેસર્સ બાયોલોજિકલ-ઈ દ્વારા નિર્મિત અને સ્ટોરને આપશે. આ માટે કંપનીને 1500 કરોડ રૂપિયાના એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યા છે.
મંત્રાલયનું કહેવું છે કે વેક્સીનનું નિર્માણ અને સ્ટોરેજ બાયોલોજિકલ-ઇના માધ્યમથી ઓગસ્ટથી ડિસેમ્બર 2021 સુધી કરી દેવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારત કોવિડની બીજી લહેરના પ્રકોપ સામે સંઘર્ષ કરી રહ્યું હતું.
તે દરમિયાન રસીકરણની નીતિને લઈ કેન્દ્ર સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો, જેને ધ્યાને રાખી સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારને આ જ કારણથી પોતાના વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવી રહેલી વેક્સીનને રોકવી પડી હતી જેથી ભારતમાં વેક્સીનની અછતને દૂર કરી શકાય.
કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બાયોલોજિકલ-ઇની વેક્સીન હાલમાં ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. આ પહેલા પહેલા અને બીજા ચરણમાં વેક્સીનના સારા પરિણામ જોવા મળ્યા છે. વેક્સીન આગામી થોડાક મહિનાઓમાં ઉપલબ્ધ થઈ જશે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે વેક્સીનની આ નવી વ્યવસ્થા ડોમેસ્ટિક વેક્સીન નિર્માતાઓને પ્રોત્સાહન આપવા અને તેમને રિસર્ચ તથા ખર્ચમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે બાયોલોજિકલ-ઇની રસી માટે બાયોટેક્નોલોજી વિભાગને 100 કરોડની આર્થિક મદદ આપવામાં આવી છે. આ વિભાગ કંપનીની સાથે મળી અલગ-અલગ રિસર્ચમાં સામેલ છે. ભારત સરકારનું કહેવું છે કે સરકારનો ઉદ્દેશ્ય કોવિડ-19 વેક્સીનના 5-6 નિર્માતાઓને મદદ કરવાની છે.