ભારત પાછલા કેટલાક સમયથી વિદેશ નીતિ મામલે બહુ સચોટ પગલા ભરી રહ્યું છે. અને ભારતના આ રૂખથી ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો સ્તબ્ધ છે.મોદીની કૂટનીતિક ચાલનો તાજેતરમાં પાકિસ્તાન પરચો મળી ગયો છે, તો ચીનને પણ ડોક્લામ મામલે ભારતની દ્રઢતાનો પરિચય મળી ગયો છે. અને ખંધુ ચીન સમજી ગયું છે કે, આ ૧૯૬૨ નું ભારત નથી. જો કે, ડોક્લામમાં ચીની સૈન્યે સમ્જુતીપુર્વક પીછેહઠ કરી તેનો મતલબ હરગીજ તે લઇ શકાય એમ નથી કે, ચીન ભારતને એક મજબુત દેશ માંને છે અને હવે એ ફરી ભારતને છંછેડવાનો પ્રયાસ કરશે નહિ.
કેમ કે, ચીનની ફિતરત જ વિસ્તારવાદી દેશની છે. અને એ તક મળે ગમે ત્યાં ઘુશણખોરી કરી એનો વિસ્તાર વધારવાની કોશિશ કરે છે. એની ખન્ધાગીરી અને લુચ્ચાઈ માટે જાણીતું ચીન ભારતના મોટામસ માર્કેટ પર નભી રહ્યું છે અને એમાંથી થતી આવકમાં થી એના લાખો નાગરિકો રોજગારી મેળવી રહ્યા છે એમ છતાં ચીન ભારતના સરહદી વિસ્તારોને હડપવાના સતત સપના જુવે છે. ડોક્લમ બાદ પણ એનાથી નજીકના વિસ્તાર માં રોંડ બાંધવાનું શરુ કર્યું છે. અને હજુ એ ચુમ્બી ઘાટીને મનમાં રાખીને બેઠું છે. અને એના આવા વલણને સમજી ચૂકેલ ભારતીય પ્રજા પાછલા કેટલાય સમયથી એના પર રોષે ભરાયેલ છે. અને એના માલ-સામાનનો બહિષ્કાર કરી રહી છે.
જો કે, ચીને ભારતનું માર્કેટ એ હદે સર કરેલું છે કે, ભારત માટે એનો સાવ જ તદનપને બહિષ્કાર શક્ય જ નથી. કેમ કે, હેવી મશીનરી થી લઇ રમકડા, ઇલેક્ટ્રિક સમાન, મોબાઇલ, હોમ અપ્લાય્ન્સીસ થી લઇ બેડ સહિત, જૂતા અને
ઈવન ડોગ સુધી લોકો ચાઈનાનું રાખતા થયા છે. અને કેટલીય ફેકટરીઓના નાના મોટા પુર્જા પણ ચીનથી આવતા હોવાથી ભારતીયોના ધંધા રોજગાર બંધ થઇ જાય. એમ છતાં એમને સબક તો આપવો જ જોઈએ. કેમ કે, ચીન એમ આસાનીથી સુધરે એમ નથી.
અને કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભારત કનજ્યુંમર અને કેપિટલ ગુડ્સ અન્વયે ક્વોલીટી કંટ્રોલના નિયમો કસીને લાગુ કરવાના મૂડમાં છે. અને ભારતના આ પગલાથી ચીનની મુશ્કેલીઓ વધે એમ છે. નોધનીય છે કે, ચીન ભારતમાં મોટાપાયે નિર્યાત કરે છે.
ત્યારે નવા નિયમો મુજબ રમકડા, ઇલેક્ટ્રિક સામાન, મશીનરી, ફૂડ પ્રોશેસિંગ, કન્સ્ટ્રકશન અને કેમિકલ્સ જેવા સેકટરને ટાર્ગેટ કરશે. જેમાં ચીનનો દબદબો છે. તેમજ તે સાથે જ ચીનની કેટલીય કંપનીઓ કે જે, ભારતના અરબો ડોલરવાળા પાવર ટ્રાન્સમિશન અને ટેલીકોમ બિજનેસમાં પ્રવેશ કરવા માંગે છે ને ભારે ફટકો પડશે.. ત્યારે દિવાળી તાકડે જ નવા નિયમો લાગુ થવાથી ખાસ તો રમકડાના વેપારીઓને ફટકો પડવાની સંભાવના છે.
વિશેષમાં પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુરો ઓફ ઇન્ડિયન standard ના લગભગ તમામ સેક્ટર માટે ૨૩૦૦૦ standard છે. જેમાં કેટલાય નિયમો લાગુ કરવામાં નથી આવતા. હવે સરકારી વિભાગોને કહેવામાં આવ્યું છે કે, તેઓ લેબોરેટરી ટેસ્ટ અને સ્પોટ ઇન્સ્પેકશન કરશે જેથી લોકોને ક્વોલીટીયુક્ત સમાન મળી શકે.
તેમજ આ અંગે, ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્રીઅલ પોલીસી એન્ડ પ્રમોશન ઓફ ચીફ રમેશ અભીશેકે જણાવ્યું છે કે, અમે આ કામની શરૂઆત યુદ્ધ સ્તર પર કરી છે. દેશમાં આપણે જેટલા પણ સામાનનો ઉપયોગ કરીએ છીએ એ બધા માટે ક્વોલોટી કંટ્રોલનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમજ નવા નિયમો ઘરેલું અને વિદેશી તમામ સમાન પર લાગુ થશે.
ખેર ત્યારે એ પણ જાણી લો કે, જે સેક્ટરને નિશાન બનાવવામાં આવ્યા છે એમાં ચીનનો ૨/૩ % કબજો છે. ઓલઓવેર લોકોને આ મામલે પણ જો શુદ્ધ અને ક્વોલીટીયુક્ત સામાન મળવા લાગે તો ભાઈ લોકોની દિવાળી સુધરી ગઈ એમ સમજી લેજો…