પ્રજાસત્તાક દિન દેશના ઈતિહાસનો સોનેરી દિવસ, ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો, પણ તેનું પોતાનું કાયમી બંધારણ નહોતું. એના બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935નો અમલ થતો. એ વખતે દેશનાં ગવર્નમેન્ટ જનરલના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારોબાર સંભાળતા હતા. 29 ઓગસ્ટ, 1947ના રોજ કાયમી બંધારણની રચના માટે ડો.બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ.
આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને 4 નવેમ્બર, 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર 2 વર્ષ, 11 માસ અને 17 દિવસ ચાલ્યું. બાદમાં 26મી જાન્યુઆરી, 1950થી ભારતનું બંધારણ અમલમાં મુકાયું અને દેશ સ્વતંત્ર બન્યો.
ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર એમ.એન. રોયને આવ્યો હતો. બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ રોજ મળી હતી. તેમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડો.ભીમરાવ આંબેડકર અને પ્રમુખ ડો.રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન 1946 હેઠળ થઈ હતી. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પુરૂં થયું હતું. કુલ 389 સભ્યો હતા.
ભારતના બંધારણમાં 12 પરિશષ્ટિો, 410 કલમો છે. બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નહેરૂએ તૈયાર કર્યું છે. જોકે આમુખનો વિચાર યુ.એસ.ના બંધારણમાંથી લેવાયો છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબું લેખિત બંધારણ છે. બંધારણ ઘડવાનો ખર્ચ 6.24 કરોડ થયો હતો. 26મી જાન્યુઆરી, 1950માં રચાયેલું ભારતના બંધારણનું મૂળ પુસ્તક અંગ્રેજીમાં લખાયું.