નવી દિલ્હીઃ આજે ધૂળેટીનો તહેવાર છે. લોકો મન મૂકીને ઉજવવી રહ્યા છે ત્યારે સાથે સાથે કોરોનાના નિયમોનું પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. ધૂળેટીના શુભ તહેવાર પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશના મોટા નેતાઓ અને વિદેશથી પણ દેશવાસીઓને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ આવી રહી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરતાં કહ્યું કે આપ સૌને હોળીની ખૂબ શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. રંગ-ઉમંગ, એકતા અને સદભાવનાનો મહાપર્વ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લઈને આવે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ હોળીની શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આનંદથી ભરપૂર આ તહેવાર સકારાત્મકતાનો સંદેશ આપે છે. આ મુખ્ય રૂપે હિન્દુ તહેવાર છે પણ અને ધર્મના લોકોને પણ આ તહેવારને મનાવે છે. આ તહેવાર દેશમાં વસંતના આગમનનું પ્રતિક છે.
ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પીએમ મોદીને હોળીની શુભકામનાઓ આપતા કહ્યું કે ઑસ્ટ્રેલિયાયના હિન્દુઑ અને મારા મિત્ર નરેન્દ્ર મોદીને આ તહેવારની શુભમાકનાઓ. આ સાથે જ તેમણે વીડિયો સંદેશ પણ પોસ્ટ કર્યો છે.
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે ધૂળેટીના રંગમાં ભંગ પડ્યો છે. ગુજરાત સહિતના રાજ્યોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે અને લોકોને ઘરમાં રહીને જ તહેવાર ઉજવવાની તાકીદ કરવામાં આવી રહી છે.