નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ વધતા રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને આ ચિંતાનો વિષય છે. એક દિવસમાં દેશમાં કોરોનાના 53 હજાર 419 નવા કેસ આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 26 હજાર 575 દર્દી રિકવર થયા છે. તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી 249 દર્દીના મૃત્યુ પણ થયા છે.
ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 49 હજાર 956 થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 17 લાખ 87 હજાર 13 સુધી પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 12 લાખ 29 હજાર 591 થઈ છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 60 હજાર 726 સુધી પહોંચી ચૂક્યો છે.
એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા કેસની સંખ્યા 5 લાખ 83 હજાર 841 વધી છે. એક દિવસમાં કોરોનાથી 10 હજાર 409ના મૃત્યુ થયા છે અને સાથે જ વૈશ્વિક સ્તરે કોરોનાના એક્ટીવ કેસ 2 કરોડ 13 લાખ 81 હજાર 884 પહોંચી ગયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 12 કરોડ 54 લાખ 15 હજાર 640 થયા છે. કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 10 કરોડ 12 લાખ 77 હજાર 697 થઈ છે તો વૈશ્વિક સ્તરે કોરોનાથી કુલ મૃત્યુઆંક 27 લાખ 56 હજાર 59 થયો છે.
આ સાથે વેક્સીનેશન પણ પોતાની ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં દેશમાં 5 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતની 137 કરોડની આબાદીના કારણે વેક્સીનેશનની ગતિ ઘટી છે. જે રીતે કેસ વધવાના શરૂ થયું છે તે રીતે હર્ડ ઈમ્યુનિટી આવવાનો અણસાર ઓછો છે.
કોરોનાએ ફરીથી ગતિ પકડી છે ત્યારે અનેક રિપોર્ટ્સનું માનવું છે કે કોરોનાનો રેટ ગયા માર્ચ- એપ્રિલ બાદથી વધારે મોટા લેવલે પહોંચ્યો છે. તેને સાયન્સની ટર્મમાં R નોટ અને R ફેક્ટર પણ કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો R નોટથી જાણકારી મળે છે કે એક સંક્રમિત વ્યક્તિ કેટલા સ્વસ્થ લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. તેનો વધારો શા માટે ચિંતાનો વિષય છે અને સાથે ગયા વર્ષ કરતા R નોટમાં કેટલો વધારો થયો છે.