નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં રોજ કોરોનાના 7 હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. તહેવારો દરમિયાન બજારોમાં ભીડ એ પણ ચેપ ફેલાવવાનું એક મુખ્ય કારણ હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે માર્ગદર્શિકા જારી કરી છે. ગૃહ મંત્રાલયે દેખરેખ, નિયંત્રણ અને સાવધાની માટે માર્ગદર્શિકા જારી કરી છે. સરકારની માર્ગદર્શિકા 1 ડિસેમ્બરથી લાગુ થશે અને 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કન્ટેન્ટ ઝોનમાં કડકતા ચાલુ રહેશે. તે જ સમયે, 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
નવી માર્ગદર્શિકામાં સિનેમા હોલ, સ્વિમિંગ પુલ પર પણ પ્રતિબંધો ચાલુ છે. 50 ટકા પ્રેક્ષકોની ક્ષમતા સાથે સિનેમા હોલ ચલાવવામાં આવશે. તે જ સમયે, 200 થી વધુ લોકો ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે નહીં. જો રાજ્ય સરકારો ઇચ્છે, તો તેઓ આ સંખ્યાને 100 અથવા તેથી ઓછી મર્યાદિત કરી શકે છે.
ગૃહ મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસની રોકથામ માટે કડક પગલા લેવા, ભીડને કાબૂમાં રાખવા માટેના વિવિધ પ્રવૃતિઓ પર એસ.ઓ.પી. અને ફરજિયાત પગલાં લેવા આદેશ આપ્યો છે.
States and UTs also need to enforce social distancing in offices. In cities, where weekly positivity rate is over 10%, States/UTs concerned shall consider implementing staggered office timings & other measures, to ensure social distancing: Ministry of Home Affairs#COVID19 https://t.co/EsQR48430P
— ANI (@ANI) November 25, 2020
સ્થાનિક જિલ્લા, પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ નિર્ધારિત નિયંત્રણના પગલાંની કડક પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે અને રાજ્ય / યુ.ટી. સરકાર સંબંધિત અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરશે.