નવી દિલ્હી : દેશમાં લોકડાઉન 2.0 – 3 મેના રોજ પૂર્ણ થાય તે પહેલા જ લોકડાઉન 3.0ની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આગામી બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી લોકડાઉન જારી રહેશે. લોકડાઉન 3.0માં શું – શું છૂટ મળશે તે અંગે પણ સરકારે એડવાઈઝરી જારી કરી છે.
સરકારની એડવાઈઝરી મુજબ લોકડાઉન 3.0માં રેડ ઝોનમાં કોઈ રાહત નહીં મળે. નોંધનીય છે કે, દેશમાં 130 જિલ્લા રેડ ઝોનમાં છે.
ઓરેન્જ ઝોનમાં કારમાં ડ્રાયવર સહીત 3 લોકો અને બાઈક પર 2 લોકોને મુસાફરી માટે છૂટ આપવામાં આવશે. દેશમાં 284 જિલ્લા ઓરેન્જ ઝોનમાં આવે છે.
ગ્રીન ઝોનમાં 50 ટકા મુસાફરો સાથે 50 ટકા બસ સેવા ચાલુ રહેશે. આ સાથે જ ગ્રીન ઝોનમાં ઈ – કોમર્સને બિનજરૂરી સામાનની ડિલિવરી માટે છૂટ આપવામાં આવશે. દેશમાં ગ્રીન ઝોનમાં 319 જિલ્લાનો સમાવેશ થાય છે.
દેશમાં સ્પેશિયલ પરમિશન સિવાયની તમામ પરિવહન સુવિધા બંધ રહેશે. આ સાથે જ શાળા – કોલેજો, મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે.