મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના ચાર બીજા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આ મહામારીથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 49 થઇ ગઇ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ હાલની સ્થિતિ પર નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી છે. આ બધાની વચ્ચે પ્રખ્યાત હાજી અલી દરગાહને પણ બંધ કરી દેવાઇ છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે મુંબઇમાં 22 વર્ષની એક યુવતીમાં કોરોનાની પુષ્ટિ થઇ છે જે તાજેતરમાં જ બ્રિટનથી આવી છે. એક બીજો કેસ ઉલ્હાસનગરમાં સામે આવ્યો જ્યાં 49 વર્ષના એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા થોડાક દિવસ પહેલાં જ દુબઇ ગઇ હતી. તેની સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 47 થઇ ગઇ છે.
ઉદ્ધવ બોલ્યા – સ્થિતિ નાજુક નથી પરંતુ ચિંતાજનક
ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અત્યારે મહારાષ્ટ્રમાં આવ્યા છે. દર્દીઓની સંખ્યા વધતા ઉદ્ધવ ઠાકરે સરકાર સક્રિય થઇ ગઇ છે. સીએમ ઉદ્ધવે પીએમ મોદી સાથે સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા કરી. ઉદ્ધવે કહ્યું કેઅમ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યા છીએ. અમે જરૂરી તમામ પગલાં ઉઠાવ્યા છે. સ્થિતિ નાજુક નથી પરંતુ ચિંતાજનક ચોક્કસ છે. રાજ્ય સરકારે કહ્યું કે દુકાનો સવારે ખૂલશે અને બપોરે બંધ થઇ જશે. સીએમ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં જરૂકી સામાનનો પુરવઠો છે એટલે કોઇએ ગભરાવાની જરૂર નથી.
ઉદ્ધવ ઠાકરેની અપીલ બિન જરૂરી મુસાફરી ના કરો
સીએમ બિનજરૂરી મુસાફરીથી બચવાની અપીલ કરી છે. ઉદ્ધવે કહ્યું કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. તેમને કેન્દ્ર સરકારની તરફથી પૂરો સહયોગનો વિશ્વાસ વ્યકત કર્યો છે. સીએમ ઠાકરેએ કહ્યું કે આ નક્કી કરાયું છેકે ઓફિસ દરરોજ ખુલી રહેશે પરંતુ કર્મચારી અડધા જ આવશે. એ પણ કોશિષ કરાય રહી છે કે રેલવે, બસ અને મેટ્રોને પણ 50 ટકા પેસેન્જર લોડની સાથે ચલાવાની કોશિષ કરાશે. રાજ્યમાં જરૂરી સામાનની અછત નથી કોઇએ ગભરાવાની જરૂર નથી.
‘50% વર્કર્સથી જ કામ કરાવાશે’
મુંબઇમાં બીએમસીએ પ્રાઇવેટ કંપનીઓમાં 50 ટકાથી વધુ કર્મચારીઓની ઉપસ્થિતિને ટાળવાનો આદેશ આપ્યો છે. કમિશ્નરના સર્કુલરમાં કહ્યું છે કે ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓથી જ કામ લેવામાં આવે. આ નિયમ સીવેજ, પાણી, બેન્કિંગ, રેલવે, ખાણી પીણી, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર જેવા અતિ મહત્વપૂર્ણ સર્વિસીસ આપનારને લાગૂ થશે નહીં. આ સિવાય કસ્તૂરબા, કેઇએમ, અને સેવન હિલ્સ હોસ્પિટલની આસપાસ ગાડીઓની અવરજવર પણ ઓછી કરાશે. આ અંગે પાલન નહીં કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે.
31મી માર્ચ સુધી બીયર બાર અને રેસ્ટોરાં બંધ
પૂણેના પિપંરી-ચિંચવાડમાં એક વ્યક્તિનો કોરોના વાયરસ પોઝિટિવ આવતા પૂણેમાં સંક્રમિતોની સંખ્યા કુલ મળીને 19 થઇ ગઇ છે. પિંપરી-ચિંચવાડમાં કોરોના વાયરસના ખતરાને જોતા 31મી માર્ચ સુધી તમામ બીયર બાર બંધ કરી દેવાયા છે. કોરોનાના ખતરાને જોતા નાગપુરમાં દારૂની દુકાનો, રેસ્ટોરાં અને પાનની દુકાનો 31મી માર્ચ સુધી બંધ રહેશે.
મહારાષ્ટ્ર સિવાય દિલ્હી, યુપી, કાશ્મીર, કેરળ અને બીજા કેટલાંય રાજ્યોમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. બીજીબાજુ 14 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઇ ચૂકયા છે. જે ત્રણ લોકોના મોત થયા છે તેમની ઉંમર 60 વર્ષની ઉપર હતી અને તેઓ કેટલીય બીજી બીમારીઓથી ઝઝૂમતા હતા.