નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધીમાં આ જીવલેણ ચેપના 37 હજારથી વધુ કેસ નોંધાયા છે. દિવસે દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિતી અનુસાર અત્યાર સુધીમાં 37 હજાર 336 લોકોને ચેપ લાગ્યો છે. તે જ સમયે, 1218 લોકોના મોત થયા છે. જોકે 9 હજાર 991 લોકો સ્વસ્થ પણ થયા છે. તમારા રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે જાણો.
કયા રાજ્યમાં કેટલા મૃત્યુ થયા?
આરોગ્ય મંત્રાલય મુજબ, મહારાષ્ટ્રમાં 485, ગુજરાતમાં 236, મધ્યપ્રદેશમાં 145, રાજસ્થાનમાં 62, દિલ્હીમાં 61, ઉત્તર પ્રદેશમાં 42, આંધ્રપ્રદેશમાં 33, પશ્ચિમ બંગાળમાં 33, તમિળનાડુમાં 28, કર્ણાટકમાં 22, તેલંગાણામાં 26, પંજાબમાં 22, જમ્મુ-કાશ્મીરમાં 8, હરિયાણામાં 4, કેરળમાં 4, ઝારખંડમાં 3, બિહારમાં 3, આસામ, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ઓડિશામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયાં છે.