હાલ કોરોનાને લઈને તેની અસર આગામી તહેવાર પર દેખાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સુરતમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. મૂર્તિકારો દ્વારા ગણેશજીની અવનવી મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મૂર્તિકારોએ પહેલી મૂર્તિ જ કોરોનાનો વધ કરતાં ગણેશજીની બનાવી છે.ચાર ફૂટ ઊંચી મૂર્તિમાં ગણેશજી ત્રિશૂળથી કોરોનાનો વધ કરતાં દર્શાવાયા છે. આ વર્ષે મૂર્તિના કોઈ ઓર્ડર મળ્યા નથી. પરંતુ ગણેશજી વિધ્નહર્તા છે તેમની એન્ટ્રી 22 ઓગસ્ટે થવાની છે એ અગાઉ જ તેઓ કોરોનાનો વધ કરશે એવું લાગે છે. દરવર્ષે 30 થી 35 વન પીસ મૂર્તિ જેની કોપી ન થઈ શકે તેવી થીમ પર અનિલભાઈ મૂર્તિ બનાવે છે. ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવતાં લોકોની હાલત આ વર્ષે કફોડી થાય તેમ તેઓ માની રહ્યાં છે. આ વર્ષે ખર્ચા નીકળતો પણ સારૂં એવું કહી રહ્યાં છે. 15થી વધુની ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ પણ કારીગરો બનાવે છે જો કે આ વર્ષે મૂર્તિઓનું વેચાણ ઘટે તેવી આશંકા તેઓ સેવી રહ્યાં છે.
Tuesday, May 14