વિશાખાપટ્ટનમ : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના હિન્દુસ્તાન શિપયાર્ડમાં 1 ઓગસ્ટ, શનિવારે દુર્ઘટના સર્જાતા આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અહીં એક ક્રેન પડી જતા 11 લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા.
શિપયાર્ડમાં એકાએક પડી રહેલી ક્રેનથી ચારે બાજુ હંગામો મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, ભારે ભરખમ ક્રેન પડતા 10 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એકને ઈજા થઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
#WATCH A crane collapses at Hindustan Shipyard Limited in Visakhapatnam, Andhra Pradesh. 10 dead and 1 injured in the incident, says DCP Suresh Babu. pic.twitter.com/BOuz1PdJu3
— ANI (@ANI) August 1, 2020
ઘટના અંગે માહિતી આપતાં ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન શિપયાર્ડ ખાતે ક્રેન પડી જવાને કારણે આટલો મોટો અકસ્માત થયો છે. કાટમાળ નીચે ફસાયેલા કેટલાક લોકોને બચાવ અને રાહત કામગીરીના ભાગરૂપે બચાવી લેવામાં આવ્યા છે.