Arunachal : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના હૃદયના ધબકારા વધી રહ્યા છે. શાસક પક્ષથી લઈને વિરોધ પક્ષો સુધી દરેક જંગી રેલીઓ દ્વારા મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે અરુણાચલ પ્રદેશના નમસાઈમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓ ભારત અને ચીન વચ્ચેના વિવાદો પર ખુલીને બોલતા જોવા મળ્યા હતા.
હાલમાં જ ચીને અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોના નામ બદલી નાખ્યા છે. જેના પર ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો, જોકે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે દેશોએ ભારતની આંતરિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ. નમસાઈમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ચીને અરુણાચલ પ્રદેશમાં લગભગ 30 સ્થળોના નામ બદલીને પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા છે. હું આપણા પાડોશી દેશને કહેવા માંગુ છું કે તેનાથી કોઈ ફરક પડવાનો નથી.
Public meeting at Namsai in Arunachal Pradesh East Constituency.
https://t.co/HWHnvH8KAP— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) April 9, 2024
ચૂંટણી રેલીમાં ચીનની હરકતોનો જડબાતોડ જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યું કે જો ભારત ચીનના અમુક સ્થળો અને અમુક પ્રાંતોના નામ બદલી નાખશે તો શું તેઓ ભારતનો ભાગ બની જશે? તેમણે કહ્યું કે ભારત તેના પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે. આમ છતાં જો કોઈ આપણા સન્માનને ઠેસ પહોંચાડવાની કોશિશ કરે તો આજના ભારત પાસે જવાબ આપવાની તાકાત છે.