નવી દિલ્હી : દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત ફરી કથળી છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના આરોગ્ય મંત્રીને બે દિવસ પહેલા કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.
19 જૂન, શુક્રવારે સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ હવે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનની સારવાર દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સત્યેન્દ્ર જૈનના ફેફસામાં ચેપ વધી ગયો છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરાયો હતો. તેમનો પ્રારંભિક ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, જેના પછી તેની હાલતમાં પણ સુધારો થવા લાગ્યો. પરંતુ બાદમાં બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું.