નવી દિલ્હી : મૌલાના સાદ ઝાકિર નગરમાં તેના સંબંધીના ઘરે કવોરેન્ટીનમાં હતો, કવોરેન્ટીન સમયગાળો પૂરો થયા પછી, તેઓ દાવો કરે છે કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ દિલ્હી પોલીસે સાદને કહ્યું છે કે, સરકારી હોસ્પિટલમાંથી ટેસ્ટ કરાવ્યા બાદ પોલીસને તેના રિપોર્ટની એક નકલ મોકલવામાં આવે.
દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં મૌલાના સાદના ત્રણ પુત્રો સહિત કુલ 17 લોકોની પૂછપરછ કરી છે. ઇડીએ મરકઝના હવાલા જોડાણ અંગે 21 અને 22 એપ્રિલના રોજ સાદના 5 અત્યંત નજીકના લોકોની પણ પૂછપરછ કરી છે.
ક્રાઇમ બ્રાંચની એક ટીમ મૌલાના સાદની સંપત્તિની તપાસ કરી રહી છે, તેથી જ ક્રાઇમ બ્રાંચની ટીમ શામલીના કંધલા સ્થિત તેના ફાર્મ હાઉસ પર ગઈ હતી.
તેની તપાસમાં, દિલ્હી પોલીસ અને ઇડીને ખબર પડી કે આ વર્ષે મરકઝના વાર્ષિક કાર્યક્રમમાં 849 વિદેશી નાગરિકો હાજર રહ્યા હતા. આ લોકોમાંથી ઘણા, જેઓ પછીથી દેશના જુદા જુદા રાજ્યોમાં રહેતા તેમના સંબંધીઓના ઘરે ગયા હતા, તેમાંથી હજુ ઘણા લોકોને પોલીસ શોધી રહી છે.