ધનતેસરથી ભાઈબીજ સુધી ઘર, દુકાન અને મંદિરોને લાઈટો અને ફૂલોથી શણગારવામાં આવે છે. જેમાં ધનતેર્સ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સૌથી મહત્વનો તહેવાર દિવાળી છે. આ દિવસોમાં બજારોની રોનક વધી જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છી, કયો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે.
ધનતેરસ
ધનતેરસના દિવસ સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ધનવંતરીનો જન્મ થયો હતો, માટે આ દિવસને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે.
ધનતેરસ- શુક્રવાર, 25 ઓક્ટોબર
શુભ મુહૂર્ત
19:10 થી 20:15 સુધી
પ્રદોષ કાળ-17:42 થી 20:15 સુધી
વૃષભ કાળ-18:51 થી 20:47 સુધી
દિવાળી
દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજાથી ઘર અને ધંધામાં સમૃદ્ધિ આવે છે.
દિવાળી- રવિવાર, 27 ઓક્ટોબર
લક્ષ્મી પૂજાનાં શુભ મુહૂર્ત
18:44 થી 20:15 સુધી
પ્રદોષ કાળ- 17:40 થી 20:14 સુધી
વૃષભ કાળ- 18:44 થી 20:39 સુધી
ભાઈ બીજ
દિવાળી બાદ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. પાંચ દિવસ ચાલતા તહેવારોનું આ અંતિમ પર્વ છે. ભાઈ બીજના દિવસે બહેનો ભાઇઓના કપાળે તિલક કરે છે અને આરતી ઉતારી ભાઈની લાંબી ઉંમરની કામના કરે છે.
ભાઇ બીજ- મંગળવાર, 29 ઓક્ટોબર
ભાઈબીજના તિલકનો સમય- 13:11 થી 15:25 સુધી