કોરોના સામે સરકારે રૂપિયા 1 લાખ 70 હજાર કરોડ નું જે પેકેજ છે તેના લાભ આ રીતે મળશે:
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે. આ પેકેજ 1 લાખ 70 હજાર કરોડનું છે.
1: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે.
2: કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે. પણ અપાશે. અમેરિકાએ સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું, ઓછી આવકવાળા લોકોને 90 હજાર રૂપિયા મળશે
3: મનરેગામાં દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરવામાં આવી છે. 5 કરોડ પરિવારોને ફાયદો થશે.
4: 8.69 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો તાત્કાલિક ફાયદો મળશે
5: ખેડૂતોના ખાતામાં 2000ની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ નાખી દેવાશે.
6: વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના 1000 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે. ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.
7: 20 કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના 500 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે.
8: ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. 8 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.
આમ કોરોના બજેટ અંગે ની જાહેરાત ચાલુ છે, નોકરિયાતો માટે પણ જાહેરાત ચાલુ છે