દશેરા પર જ્યાં અનિષ્ટનું પ્રતીક માનીને દેશભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. આનાથી સંપૂર્ણ વિરુદ્ધ વિદિશા જિલ્લાના નટેરન તાલુકાના રાવણ ગાંમમાં રાવણની પૂજા સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી કરવામાં આવે છે. વર્ષોથી ચાલી રહેલી આ પરંપરાને ગામના લોકો સંપૂર્ણ ભક્તિથી પુરી કરે છે.
રાવણ નામના આ નાના ગામમાં રાવણને દેવતાઓની જેમ પુજવામાં આવે છે. ગામમાં કોઈ પણ શુભકાર્ય હોય, લગ્ન હોય કે બાળકોનો જન્મોત્સવ હોય સૌથી પહલા અહીં આવીને ગામના લોકો દંડવત પ્રણામ કરે છે પછી કામની શરૂઆત કરે છે. વિજયાદશમી પર આ મંદિરમાં પુજા અર્ચના ભંડારાનું આયોજન કરવામાં આવે છે. રાવણ બબ્બાના નામથી રાવણનું મંદિર ફેમસ છે. અહીં જે પણ કોઈ નવા વાહન ખરીદીને લાવે છે. તે તેના પર ‘જય લંકેશ’ લખાવે છે. ગામના લોકોની ધારણા છે કે જો કોઈ પણ કાર્ય કર્યા પહેલા જો રાવણની પૂજા કરવામાં ન આવે તો કોઈને કોઈ અનર્થ થાય છે.
રાવણની પૂજાને લઈને ગામમાં ઘણા પ્રકારની કહાનીઓ ખુબ ફેમસ છે. ગામના લોકો કહે છે કે પાસેના પહાડ પર રહેનાર એક રાક્ષસ, રાવણના બળને વારંવાર પડકાર આપતો હતો અને તેની સાથે લડવા લાગ્યો હતો. રાવણે તેને એક વખત કહ્યું કે તે પોતાના જ ક્ષેત્રમાં એક રાવણની પ્રતિમા બનાવી લે અને તેની સાથે જ યુદ્ધ કરતા રહે. રાક્ષસનું કહેવું હતું કે જ્યારે હું તમારી સામે આવું તો મારું બળ ઓછુ થઈ જાય છે.