Delhi Liquor Scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શરાબ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું છે. સીએમને 21મી માર્ચે આવવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા ED કેજરીવાલને આઠ વખત સમન્સ મોકલી ચૂક્યું છે. પરંતુ કેજરીવાલ એક વખત પણ ED સમક્ષ હાજર થયા ન હતા. હવે ફરી એકવાર સમન્સ મોકલીને EDએ કેજરીવાલને પૂછપરછમાં સામેલ થવા કહ્યું છે.
અગાઉના સમન્સ પર હાજર ન થવાના કેસમાં કેજરીવાલને શનિવારે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અગાઉ, ગયા વર્ષે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે પણ 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરીએ EDએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા.