નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અને કેરળમાં આજે (24 મે,રવિવારે) ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે લોકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. પોલીસ મહાનિદેશકએ જમ્મુ-કાશ્મીરના લોકો, શહીદ જવાનોના પરિવારો, પોલીસ અને સુરક્ષા દળના જવાનો અને તેમના પરિવારોને ઈદની શુભેચ્છા પાઠવી હતી.
ડીજીપીએ શુભેચ્છા આપતાં તેમણે આશા વ્યક્ત કરી કે આ ઉત્સવ જમ્મુ-કાશ્મીરના લોકો તેમજ પોલીસ, તેમના પરિવારો અને શહીદના પરિવારો માટે ખુશી લઈને આવશે. વળી, તેમણે આ ઉત્સવ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સમૃધ્ધિથી ઉજવવાની અપીલ કરી હતી.
ઈદના દિવસે પણ દુકાનો બંધ
લોકડાઉન વચ્ચે કાશ્મીરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ અને સુરક્ષા દળોએ જાહેર ટ્રાફિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આવશ્યક સેવાઓ માટેના પાસની ચકાસણી કર્યા પછી જ પરિવહનની મંજૂરી છે. વહીવટના આદેશથી તમામ દુકાનો બંધ છે. તે જ સમયે લોકોને કોરોના વાયરસથી બચવા માટે ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
Kerala: People in Malapurram offer #EidUlFitr prayers at their homes as mosques remain closed for devotees, amid COVID19 lockdown. pic.twitter.com/zFm1oM0y9B
— ANI (@ANI) May 24, 2020
કેરળમાં પણ આજે ઈદ
આજે કેરળમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. માલાપુરમમાં લોકોએ ઘરે ઇદની નમાઝ પઢી હતી. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરથી અલગ પડેલા લદ્દાખમાં શનિવારે ઇદની ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવારે કારગિલ વિસ્તારમાં લદ્દાખમાં ચંદ્ર જોવા મળ્યો હતો, તેથી લદાખમાં 23 મેના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી.
અન્ય ભાગોમાં આવતીકાલે ઈદ રહેશે
જ્યારે દેશના અન્ય ભાગોમાં સોમવારે (25 મે) ઈદ ઉજવાશે. દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારી અને ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તિ મુકરમે શનિવારે મોડી રાત્રે જાહેરાત કરી કે ચંદ્ર દેશભરમાં ક્યાંયથી જોવા મળ્યો નથી, તેથી ઈદ-ઉલ-ફિત્ર સોમવારે રહેશે.