યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા પાંચ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી થશે જ્યારે મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જ્યારે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. 10મી માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચના વડા સુશીલ કુમારે જણાવ્યું કે પાંચેય રાજ્યોમાં કોરોનાને લઈ નિયમો ઘડવામાં આવ્યા છે. ડોર ટૂ ડોર પ્રચાર માટે પાંચ લોકોને જ પરમીશન આપવામાં આવશે. રાત્રે આઠ વાગ્યાથી પ્રચાર બંધ કરવામાં આવશે. કેમ્પેઈનમાં કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે કોઈ પણ ફિઝીકલ રેલી કાઢવા દેવામાં આવશે નહીં. વધુમાં વધુ વર્ચ્યુઅલ પ્રચાર પર ભાર મૂકવામાં આવશે. જીત્યા બાદ વિજય સરઘસ કાઢવા દેવામાં આવશે નહીં. મતદાનનો સમય એક ક્લાક વધારવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે 15મી જાન્યુઆરી બાદથી જ કોઈ રેલી કે જાહેરસભા પર ચૂંટણી સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.