કેન્દ્રીય ગૃહમંત્રી આજે હૈદરાબાદની મુલાકાતે છે. અહીં તેલંગાણા લિબરેશન ડે કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભારતને 1947માં આઝાદી મળી હતી, પરંતુ હૈદરાબાદમાં હજુ પણ નિઝામોનું શાસન છે. તેમણે એમ પણ કહ્યું કે અહીંના લોકોને હવે માત્ર 13 મહિના સુધી આ સહન કરવું પડશે. તમને જણાવી દઈએ કે હૈદરાબાદને અસદુદ્દીન ઓવૈસીનો ગઢ માનવામાં આવે છે.
તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) તેની સફળતા અંગે આશાવાદી છે. હાલમાં જ અહીં ભગવા પાર્ટીની સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાઈ હતી, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી.
અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘રાજ્યના લોકો સત્તાવાર રીતે હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરવા માંગતા હતા. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ આ વચન આપ્યું હતું, પરંતુ સત્તામાં આવ્યા બાદ વોટબેંકના રાજકારણને કારણે ઉજવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘તેલંગાણા લિબરેશન ડે’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડી સાથે હતા.